Next PM Of India : નરેન્દ્ર મોદી પછી ભારતના આગામી વડાપ્રધાન કોણ? સર્વેએ લોકોને ચૌકાવ્યા
Next PM Of India : વડાપ્રધાન નરેન્દ્ર મોદી માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વભરના લોકપ્રિય નેતાઓમાંના એક છે. હાલમાં જ UPUK દ્વારા કરવામાં આવેલા એક સર્વેમાં ઘણા રસપ્રદ તારણો સામે આવ્યા છે કે મોદી પછી વડાપ્રધાન પદ માટે લોકો કોને પસંદ કરી રહ્યા છે.
આ સર્વેમાં લોકોને ત્રણ વિકલ્પો આપવામાં આવ્યા હતા. જેમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, ગૃહમંત્રી અમિત શાહ અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના નામ સામેલ હતા. આ સર્વેક્ષણમાં, લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને પરિણામો આશ્ચર્યજનક હતા.

સર્વેમાં ભાગ લેનારા 84% લોકોએ યોગી આદિત્યનાથને મોદીના અનુગામી તરીકે પસંદ કર્યા છે. એક કડક પ્રશાસક અને હિન્દુત્વના પ્રતીક તરીકે તેમની છબીને કારણે લોકો તેમને વડાપ્રધાન પદ માટે સૌથી યોગ્ય માને છે.
આ યાદીમાં ગૃહમંત્રી અમિત શાહ બીજા સ્થાને છે. 12% લોકોનું માનવું છે કે તેઓ મોદી પછીના વડાપ્રધાન પદ માટે શ્રેષ્ઠ ઉમેદવાર છે. વડાપ્રધાન મોદીના જમણા હાથ તરીકે ઓળખાતા શાહની પાર્ટી પર મજબૂત પકડ છે, જેના પર જનતાને વિશ્વાસ છે.
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને 4% લોકોએ વડાપ્રધાન પદ માટે સૌથી યોગ્ય ગણાવ્યા છે. તેમની સ્વચ્છ છબી અને કાર્યક્ષમ કાર્યશૈલી તેમને અલગ પાડે છે, પરંતુ તેઓ આ યાદીમાં ટોચના બે નામોથી પાછળ રહ્યા છે.
આ સર્વેનું એક વધુ રસપ્રદ પાસું એ હતું કે 52% લોકો હજુ પણ માને છે કે વડાપ્રધાન પદ પર નરેન્દ્ર મોદી જ ચાલુ રહેવા જોઈએ. આ સર્વે 1 જુલાઈ 2025 થી 14 ઓગસ્ટ 2025 દરમિયાન કરવામાં આવ્યો હતો.












Click it and Unblock the Notifications
