સમજોતા એક્સપ્રેસ બ્લાસ્ટના આરોપીની ઉજ્જૈનમાંથી ધરપકડ

ઉજ્જૈનના નાગદાની પાસે પિપલૌદા બાગલાથી એનઆઇએની 9 સભ્યોની ટીમે આરોપી દશરથ ચોધરીની ધરપકડ કરી લીધી છે. ઇન્દોર પાસે દેપાલપૂરનો રહેનાર ચોધરી સમુંદરના નામથી પણ ઓળખાય છે, અને તેની પર પાંચ લાખ રૂપિયાનું ઇનામ પણ હતું. એનઆઇએએ ચોધરીને નાગદામાં જ કોર્ટમાં રજૂ કર્યો જ્યાં તેને બે દિવસની ટ્રાંજીટ રિમાંડ પર મોકલમાં આવ્યો છે.
કહેવાય છે કે દશરથ કમલ ચૌહાણની સાથે મળીને સમજોતા એક્સપ્રેસમાં બોમ્બ મૂક્યો હતો. એનઆઇએના જણાવ્યા અનુસાર દશરથની ધરપકડ આતંકી બ્લાસ્ટની ઘણી કડીઓને જોડવાનું કામ કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર એનઆઇએની ટીમ બે દિવસની અંદર ચોધરીને ચંદીગઢ પાસે પંચકૂલા કોર્ટમાં હાજર કરશે. સમજોતા બ્લાસ્ટ મામલમાં આ ચોથી ગિરફ્તારી છે. એજન્સી પહેલા જ કમલ ચૌહાણ, અસીમાનંદ અને લોકેશ શર્માને આ વિસ્ફોટના મામલે ધરપકડ કરી ચૂકી છે. 18 ફેબ્રુઆરી 2007ના રોજ પાકિસ્તાન જઇ રહેલી સમજોતા એક્સપ્રેસમાં થયેલા બોમ્બ બ્લાસ્ટમાં 68 લોકોના મૃત્યું થયા હતા.
આ મામલેની પ્રારંભિક તપાસ સરકારી રેલવે પોલીસ અને હરિયાણા પોલિસના વિશેષ તપાસ દળે કરી હતી. પરંતુ ગૃહમંત્રાલયના નિર્દેશ પર જુલાઇ 2010માં આ મામલાની તપાસ એનઆઇએને સોપી દેવાઇ હતી. આ મામલમાં હજી સંદીપ દેંગે અને કાલાસંગરા ઉર્ફ રામજી ફરાર છે.












Click it and Unblock the Notifications
