હિમાચલ પ્રદેશના 4 જીલ્લાઓમાં લાગ્યું નાઇટ કરફ્યુ, 31 ડિસેમ્બર સુધી શૈક્ષણિક કાર્ય બંધ
કોરોનાવાયરસના વધતા જતા પ્રકોપને ધ્યાનમાં રાખીને, ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશના કેટલાક શહેરોમાં નાઇટ કર્ફ્યુ પછી હિમાચલ પ્રદેશના ચાર જિલ્લામાં પણ નાઇટ કર્ફ્યુ જાહેર કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારના
કોરોનાવાયરસના વધતા જતા પ્રકોપને ધ્યાનમાં રાખીને, ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશના કેટલાક શહેરોમાં નાઇટ કર્ફ્યુ પછી હિમાચલ પ્રદેશના ચાર જિલ્લામાં પણ નાઇટ કર્ફ્યુ જાહેર કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારના કેબિનેટની બેઠકમાં રાજ્યના 4જિલ્લામાં નાઇટ કર્ફ્યુની જાહેરાત સહિત સોમવારે રાજ્ય સરકારની કેબિનેટની બેઠકમાં કોરોના નિવારણને લગતા અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા.
મળતી માહિતી મુજબ હિમાચલની રાજધાની શિમલા, કુલ્લુ, મંડી અને કાંગરા જિલ્લામાં નાઇટ કર્ફ્યુ જાહેર કરાયો છે. આ જિલ્લાઓમાં સવારે 8 થી સવારે 6 વાગ્યા સુધી નાઇટ કર્ફ્યુ રહેશે. નાઇટ કર્ફ્યુ 24 નવેમ્બર, મંગળવારથી શરૂ થશે.
આ સિવાય શાળાઓ અને કોલેજોને લઈને કેબિનેટની બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણયો પણ લેવામાં આવ્યા હતા. સરકારે 31 ડિસેમ્બર સુધીમાં રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત રાજ્યમાં 15 ડિસેમ્બર સુધી તમામ પ્રકારના સમૂહ કાર્યક્રમો પર પણ પ્રતિબંધ મૂકવામાં આવશે. આ સમયગાળા દરમિયાન કોઈ ધાર્મિક, રાજકીય અને સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં આવશે નહીં.
Himachal Pradesh govt imposes night curfew in Mandi, Shimla Kullu and Kangra, between November 24 & December 15; only 50% Class 3 & Class 4 govt employees to attend offices till December 31.
— ANI (@ANI) November 23, 2020
તમને જણાવી દઈએ કે ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશની સરકારોએ નાઇટ કર્ફ્યુ નક્કી કરી દીધું છે. આપને જણાવી દઈએ કે ગુજરાતમાં અમદાવાદમાં ત્રણ દિવસીય નાઇટ કર્ફ્યુ હતું, જ્યારે મધ્યપ્રદેશના ઈન્દોર, ભોપાલ, ગ્વાલિયર, રતલામ અને વિદિશામાં 21 નવેમ્બરથી નાઇટ કર્ફ્યુ જાહેર કરવામાં આવ્યો છે. આ નાઇટ કર્ફ્યુ આગળના ઓર્ડર સુધી ચાલુ રહેશે. આ ઉપરાંત રાજસ્થાનના જયપુર, જોધપુર, ઉદેપુર, કોટા, બિકાનેર, અજમેર, અલવર અને ભિલવાડામાં નાઇટ કર્ફ્યુ લગાવાયો છે.
આ પણ વાંચો: અમદાવાદમાં કોરોના શા કારણે વકર્યો તેનુ કારણ જણાવ્યુ આરોગ્ય મંત્રીએ