Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Nipah Virus: કેરળમાં નિપાહ વાયરસનો કહેર, 2ના મોત, જાણો આ ખતરનાક બિમારીના લક્ષણ અને બચાવ

Nipah virus in Kerala: કેરળમાં ફરી એકવાર નિપાહ વાયરસે કહેર વરસાવ્યો છે. કેરળના કોઝિકોડ જિલ્લામાં બે લોકોના મોત થયા છે. દક્ષિણના રાજ્ય કેરળમાં ફરી એકવાર નિપાહ વાયરસ ફેલાવાની આશંકા છે. કોઝિકોડ જિલ્લામાં તાવના કારણે બે દર્દીઓના મોત થયા છે. આશંકા છે કે બંનેના મોત નિપાહ વાયરસના કારણે થયા છે.

આ બે મોત બાદ આરોગ્ય વિભાગ એલર્ટ પર છે. કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ કહ્યું છે કે કેન્દ્રએ નિપાહ વાયરસના ચેપના સંચાલનમાં રાજ્ય સરકારને મદદ કરવા માટે નિષ્ણાતોની એક ટીમ કેરળ મોકલી છે. આવો જાણીએ નિપાહ વાયરસ વિશે બધુ.

virus

નિપાહ વાયરસ શું છે?

નિપાહ વાયરસ ચામાચીડિયા અને ડુક્કર જેવા પ્રાણીઓમાંથી મનુષ્યમાં ફેલાય છે. આ રોગનો મૃત્યુ દર ઘણો ઊંચો છે. અત્યાર સુધી કોઈ સારવાર કે રસી (ઈન્જેક્શન) ઉપલબ્ધ નથી. ઝૂનોટિક વાયરસ એ એક છે જે પ્રાણીઓમાંથી માણસોમાં અથવા માણસોથી પ્રાણીઓમાં ફેલાય છે.

નિપાહનું નામ કેવી રીતે પડ્યું?

નિપાહ વાયરસનું નામ મલેશિયાના ગામ પરથી રાખવામાં આવ્યું છે જ્યાં તે પ્રથમ વખત જોવા મળ્યો હતો. ફ્રુટ બેટ (ફળ ખાનાર ચામાચીડિયા), જેને ફ્લાઈંગ ફોક્સ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેને નિપાહ વાયરસના વાહક માનવામાં આવે છે.

નિપાહ વાયરસનો ચેપ કેવી રીતે ફેલાય છે?

  • નિપાહ વાયરસથી સંક્રમિત ફ્રુટ બેટ તેને સીધા માણસોમાં અથવા અન્ય પ્રાણીઓને સંક્રમિત કરી શકે છે.
  • ચેપગ્રસ્ત પ્રાણીઓની નજીક આવવાથી અથવા તેના શરીરના પ્રવાહીના સંપર્કમાં આવવાથી ચેપનું જોખમ વધે છે.
  • એક સંક્રમિત વ્યક્તિ બીજામાં પણ નિપાહ વાયરસનો ચેપ ફેલાવી શકે છે.

નિપાહ વાઈરસના લક્ષણો

  • નિપાહ વાયરસથી સંક્રમિત લોકોને શ્વાસની તકલીફ થઈ શકે છે અને મગજમાં સોજો પણ આવી શકે છે.
  • તેના લક્ષણોમાં તાવ, માથાનો દુખાવો, ઉધરસ, શ્વાસ લેવામાં તકલીફ અને ઉલ્ટીનો સમાવેશ થાય છે.
  • કેટલાક કિસ્સાઓમાં, તેના કેસો એસિમ્પટમેટિક પણ હોઈ શકે છે એટલે કે જેમાં કોઈ લક્ષણો દેખાતા નથી.
  • તેના ખૂબ જ ગંભીર લક્ષણોમાં દિશાહિનતા, હુમલા અને કોમામાં જવાનો સમાવેશ થાય છે.

નિપાહ વાયરસના ચેપની સારવાર

  • વિશ્વ આરોગ્ય સંસ્થાના જણાવ્યા અનુસાર, નિપાહ ચેપને કારણે મૃત્યુદર 40%થી 75% સુધીની હોઈ શકે છે.
  • નિપાહ વાયરસ માટે ન તો કોઈ ચોક્કસ દવા બનાવવામાં આવી છે અને ન તો તેના નિવારણ માટે કોઈ રસી ઉપલબ્ધ છે.
  • વિશ્વ આરોગ્ય સંસ્થા શ્વસન અને ન્યુરોલોજીકલ સમસ્યાઓ માટે સઘન સહાયક સંભાળની ભલામણ કરે છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X