આત્મનિર્ભર ભારત અભિયાન સાથે જોડાશે કોલ સેક્ટર, સરકારનો એકાધિકાર ખતમ
મોદી સરકાર હવે કોલ સેક્ટરને પણ આત્મનિર્ભર ભારત અભિયાન સાથે જોડશે. જેના માટે 50 હજાર કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
કોરોના વાયરસના કારણે લાગુ લૉકડાઉનથી દેશની અર્થવ્યવસ્થા ગંભીર રીતે પ્રભાવિત છે. જેના માટે મોદી સરકારે 20 લાખ કરોડના રાહત પેકેજનુ એલાન કર્યુ હતુ. આજે નાણામંત્રીએ આ પેકેજના ચોથા ફેઝ વિશે ઘણા મોટા એલાન કર્યુ. મોદી સરકાર હવે કોલ સેક્ટરને પણ આત્મનિર્ભર ભારત અભિયાન સાથે જોડશે. જેના માટે 50 હજાર કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
નાણામંત્રી નિર્મલા સીતારમણના જણાવ્યા મુજબ કોલસા ઉત્પાદનમાં ભારતનુ સ્થાન ત્રીજુ છે. આવનારા દિવસોમાં સરકારની કોશિશ રહેશે કે કોલસાની આયાત ઓછામાં ઓછી કરવામાં આવે. વળી, કોલ સેક્ટરને સંકટમાંથી ઉભારવા માટે સરકારે 50 હજાર કરોડની જોગવાઈ કરી છે. હવે આ સેક્ટરમાં સરકારનો એકાધિકાર ખતમ થશે જેથી ઉત્પાદનને વધારી શકાય. સરકાર જલ્દીમાં જલ્દી 50 નવા બ્લોકોની હરાજીની પ્રક્રિયા શરૂ કરશે. કોલસા સેક્ટરમાં રોકાણે વધારવા માટે 18 હજાર કરોડ રૂપિયાની અલગથી જોગવાઈ કરવામાં આવી છે.
Govt. brings Policy Reforms in Coal Sector:
— PIB India #StayHome #StaySafe (@PIB_India) May 16, 2020
✅ Introduction of Commercial Mining in Coal Sector
✅Investment of Rs 50,000 crores
✅Liberalised Regime in Coal Sector #AatmaNirbharEconomy (1/2) pic.twitter.com/yL6jUdiFPE
20 Lakh Crore Package: સંરચનાત્મક સુધારા પર આધારિત આજના રાહત પેકેજના મહત્વના મુદ્દા