નિઠારી કાંડમાં મોટો ચુકાદો, સુરિંદર કોલી 12 અને મનિંદર સિંહ પંઢેર 2 કેસમાં નિર્દોષ જાહેર, ફાંસી રદ
Nithari Kand: સમગ્ર દેશને હચમચાવી દેનારા નોઈડાના નિઠારી કેસમાં એક મોટો ચુકાદો આપવામાં આવ્યો છે અલાહાબાદ હાઈકોર્ટે સુરિન્દર કોલીને 12 કેસમાં અને મોનિન્દર સિંહ પંઢેરને આ કેસ સંબંધિત 2 કેસમાં નિર્દોષ જાહેર કર્યા છે.
હાઈકોર્ટના આ નિર્ણય સાથે, સુરિન્દર કોલી અને મોનિન્દર સિંહ પંઢેરને આપવામાં આવેલી ફાંસીની સજા હવે રદ કરવામાં આવી છે. આ કેસમાં સુરિન્દર કોલી વિરુદ્ધ કુલ 16 કેસ નોંધાયા હતા, જેમાંથી 12 કેસમાં તે દોષી સાબિત થયો હતો અને તેને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી.

આ મામલો ડિસેમ્બર 2006નો છે, જ્યારે મોનિન્દર સિંહ પંઢેરના ઘર અને તેની આસપાસ માનવ અવશેષો મળી આવ્યા હતા. આ કેસની તપાસમાં જાણવા મળ્યું છે કે મોનિન્દર સિંહ પંઢેરના ઘર અને તેની આસપાસ મળી આવેલા માનવ અવશેષો નિઠારીમાંથી ગુમ થયેલા બાળકોના હતા.
સુરિન્દર કોલીને નિઠારીમાંથી ગુમ થયેલા બાળકોના મૃતદેહો પર બળાત્કાર, હત્યા અને બાદમાં નિકાલ કરવાના આરોપમાં દોષિત ઠરાવ્યા બાદ નીચલી અદાલતે મૃત્યુદંડની સજા ફટકારી હતી. આ પછી, નીચલી કોર્ટના આ નિર્ણયને હાઈકોર્ટે યથાવત રાખ્યો હતો અને 15 ફેબ્રુઆરી 2011ના રોજ સુપ્રીમ કોર્ટે પણ નીચલી કોર્ટના નિર્ણયને માન્ય રાખ્યો હતો.
આ કેસમાં ખાસ કરીને રિમ્પા હલદરનો કેસ સામેલ હતો, જેની હત્યા માટે સુરિન્દર કોલીને મૃત્યુદંડની સજા મળી હતી. રિમ્પા હલદરની વર્ષ 2005માં હત્યા કરવામાં આવી હતી. સુરિન્દર કોલીને સીરિયલ કિલર માનીને કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું હતું કે આ કેસમાં ગુનેગાર પ્રત્યે કોઈ દયા ન દાખવી શકાય.
મોનિન્દર સિંહ પંઢેરને શ્રેણીબદ્ધ હત્યાઓ સંબંધિત આ કેસમાં કેટલાક કેસમાં નિર્દોષ જાહેર કરવામાં આવ્યો હતો, જ્યારે અન્ય કેસોમાં તે દોષી સાબિત થયો હતો. પંઢેરે અલાહાબાદ હાઈકોર્ટમાં નીચલી અદાલતના બે કેસમાં તેમને આપવામાં આવેલી મૃત્યુદંડની સજાને પડકારી હતી.
-
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ











Click it and Unblock the Notifications
