For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

NDA સાથે સંબંધ તોડ્યા બાદ નીતિશને નુકસાન: સર્વે

|
Google Oneindia Gujarati News

nitish kumar
નવી દિલ્હી, 23 જુલાઇ : બિહારમાં જેડીયૂ-બીજેપી ગઠબંધન તૂટ્યા બાદ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની લોકપ્રિયતામાં ઘટાડો થયો છે. ઉપરાંત જો હાલમાં ચૂંટણી યોજાઇ તો બીજેપી-જેડીયૂની લડાઇનો સૌથી વધારે લાભ લાલુ પ્રસાદ યાદવની પાર્ટી આરજેડીને મળી શકે છે. આ ખુલાસો થયો છે આઇબીએન 7 અને સીએડીએસના એક સર્વેમાં. સર્વે અનુસાર હજી લોકસભા ચૂંટણી યોજાઇ જો નીતિશ કુમારને તેનો ફાયદો ઉઠાવવો પડશે.

18 રાજ્યોના 19 હજાર 62 લોકોની વચ્ચે યોજાયેલા આ સર્વેમાં આંકડા બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર માટે ખતરાની ઘંટી વગાડી રહ્યા છે. સર્વે અનુસાર બીજેપી સાથેનો સંબંધ તોડ્યા બાદ નીતિશ કુમારની લોકસપ્રિયતામાં 9 ટકાનો ઘટાડો નોંધાયો છે. જ્યારે બીજેપી નેતા સુશીલ મોદીની લોકપ્રિયતા 6 ટકા વધી છે.

બીજી તરફ બિહારમાં 57 ટકા લોકો એવું માની રહ્યા છે કે બિહારમાં ભ્રષ્ટાચાર વધી રહ્યો છે. જો હાલમાં ચૂંટણી યોજાઇ તો બીજેપીને 8-12 જ્યારે જેડીયૂને 15-19 બેઠકો મળી શકે છે. આ સર્વે અનુસાર જો હાલમાં ચૂંટણીનું આયોજન કરવામાં આવે તો તેનો લાભ લાલુ પ્રસાદ યાદવની આરજેડીને થઇ શકે છે.

સર્વે અનુસાર લાલુ યાદવની લોકપ્રિયતામાં ભલે જ 1 ટકાનો ઘટાડો આવ્યો હોય, પરંતુ ચૂંટણી યોજાઇ તો લાલુના ખાતામાં 8-12 બેઠકો આવી શકે છે. જ્યારે ગયી લોકસભાની ચૂંટણીમાં તેમને માત્ર 4 બેઠકોથી જ સંતોષ માનવો પડ્યો હતો. આરજેડીને 5 ટકા વોટોનો સીધો ફાયદો મળતો દેખાઇ રહ્યો છે.

English summary
Bihar Chief Minister Nitish Kumar is likely to hold on to in Bihar if Lok Sabha elections are to be held today while Mamata Banerjee will win all the way in West Bengal, said a poll.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X