NDA સાથે સંબંધ તોડ્યા બાદ નીતિશને નુકસાન: સર્વે
18 રાજ્યોના 19 હજાર 62 લોકોની વચ્ચે યોજાયેલા આ સર્વેમાં આંકડા બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર માટે ખતરાની ઘંટી વગાડી રહ્યા છે. સર્વે અનુસાર બીજેપી સાથેનો સંબંધ તોડ્યા બાદ નીતિશ કુમારની લોકસપ્રિયતામાં 9 ટકાનો ઘટાડો નોંધાયો છે. જ્યારે બીજેપી નેતા સુશીલ મોદીની લોકપ્રિયતા 6 ટકા વધી છે.
બીજી તરફ બિહારમાં 57 ટકા લોકો એવું માની રહ્યા છે કે બિહારમાં ભ્રષ્ટાચાર વધી રહ્યો છે. જો હાલમાં ચૂંટણી યોજાઇ તો બીજેપીને 8-12 જ્યારે જેડીયૂને 15-19 બેઠકો મળી શકે છે. આ સર્વે અનુસાર જો હાલમાં ચૂંટણીનું આયોજન કરવામાં આવે તો તેનો લાભ લાલુ પ્રસાદ યાદવની આરજેડીને થઇ શકે છે.
સર્વે અનુસાર લાલુ યાદવની લોકપ્રિયતામાં ભલે જ 1 ટકાનો ઘટાડો આવ્યો હોય, પરંતુ ચૂંટણી યોજાઇ તો લાલુના ખાતામાં 8-12 બેઠકો આવી શકે છે. જ્યારે ગયી લોકસભાની ચૂંટણીમાં તેમને માત્ર 4 બેઠકોથી જ સંતોષ માનવો પડ્યો હતો. આરજેડીને 5 ટકા વોટોનો સીધો ફાયદો મળતો દેખાઇ રહ્યો છે.