Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

કેજરીવાલે કંઇ જ અનોખું નથી કર્યું: નીતિશ કુમાર

પટણા, 16 ફેબ્રુઆરીઃ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના રાજીનામા પર પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું કે, આ તો થવાનું જ હતું. તેમણે બિન કોંગ્રેસી અને બિન ભાજપી મોરચા અંગે કહ્યું કે વાટાઘાટો ચાલી રહી છે. પટણામાં શનિવારે પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે, કેજરીવાલનું રાજીનામું આશા અનુરુપ છે. તેમના રાજીનામા સિવાય કંઇ જ સંભવ નથી. મુખ્યમંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, જ્યારે તમે લોકતંત્રની પ્રક્રિયાનો સ્વિકાર કરો છો તો સંવિધાન અનુસાર તેનું પાલન પણ કરવું પડશે.

nitish-kumar-says-kejriwal-resignation-was-expected
લોકતંત્રના નિયમોનું પાલન થવું જ જોઇએ. મુખ્યમંત્રીએ આમ આદમી પાર્ટીના વિષયમાં કહ્યું કે, સ્થાપિત રાજકારણમાં લોકો બદલાવ લાવવા માગે છે, તેવામાં આવી પાર્ટીઓનું આવવું સ્વાભાવિક છે. નીતિશે કહ્યું કે કેજરીવાલના રાજીનામાથી કોંગ્રેસને નુક્સાન થશે અને ભાજપને કોઇ મોટો ફાયદો થવાનો નથી. તેમણે અલગ મોરચા અંગે જણાવ્યું કે, બધા લોકો પ્રયત્નશીલ છે. આ મોરચાની પહેલ ડાબેરીઓ દ્વારા કરવામાં આવી છે, જેને અનેક દળોએ સમર્થન કર્યું છે.

નોંધનીય છે કે દિલ્હી વિધાનસભામાં જનલોકપાલ બિલ રજૂ કરવામા અસફળ થયા બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું. મુખ્યમંત્રી કેજરીવાલે ઉપરાજ્યપાલને વિધાનસભા ભંગ કરવાની માંગ કરી હતી. જો કે, કેજરીવાલના રાજીનામા બાદ દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસન લાગશે તે નક્કી છે અને એવી આશા રાખવામાં આવી રહી છે કે, દિલ્હીમાં ટૂંક સમયમાં બીજી વખત વિધાનસભાની ચૂંટણી થઇ શકે છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X