કેજરીવાલે કંઇ જ અનોખું નથી કર્યું: નીતિશ કુમાર
પટણા, 16 ફેબ્રુઆરીઃ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના રાજીનામા પર પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું કે, આ તો થવાનું જ હતું. તેમણે બિન કોંગ્રેસી અને બિન ભાજપી મોરચા અંગે કહ્યું કે વાટાઘાટો ચાલી રહી છે. પટણામાં શનિવારે પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે, કેજરીવાલનું રાજીનામું આશા અનુરુપ છે. તેમના રાજીનામા સિવાય કંઇ જ સંભવ નથી. મુખ્યમંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, જ્યારે તમે લોકતંત્રની પ્રક્રિયાનો સ્વિકાર કરો છો તો સંવિધાન અનુસાર તેનું પાલન પણ કરવું પડશે.

નોંધનીય છે કે દિલ્હી વિધાનસભામાં જનલોકપાલ બિલ રજૂ કરવામા અસફળ થયા બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું. મુખ્યમંત્રી કેજરીવાલે ઉપરાજ્યપાલને વિધાનસભા ભંગ કરવાની માંગ કરી હતી. જો કે, કેજરીવાલના રાજીનામા બાદ દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસન લાગશે તે નક્કી છે અને એવી આશા રાખવામાં આવી રહી છે કે, દિલ્હીમાં ટૂંક સમયમાં બીજી વખત વિધાનસભાની ચૂંટણી થઇ શકે છે.
-
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ






Click it and Unblock the Notifications
