અવિશ્વાસ પ્રસ્તાવઃ એ 3 પક્ષ, જેણે સંસદમાં બદલી દીધા બહુમતના આંકડા
શુક્રવારે સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા શરૂ થતા જ બીજુ જનતા દળે સાંસદોએ વોકઆઉટ કરી દીધુ.
શુક્રવારે સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા શરૂ થતા જ બીજુ જનતા દળે સાંસદોએ વોકઆઉટ કરી દીધુ. જો કે બીજેડીએ કોઈને સમર્થનનુ એલાન કર્યુ નહોતુ. વળી, ભાજપને ઝટકો ત્યારે લાગ્યો જ્યારે શિવસેનાએ સંસદમાં આવવાનો ઈનકાર કરીને મતદાનથી અળગા રહેવાનો નિર્ણય લીધો. સંખ્યાના હિસાબે હાલમાં બીજેડીના 19 અને શિવસેનાના 18 સાંસદોએ સંસદથી અંતર કરી લીધુ હતુ.

બીજુ જનતા દળનો નિર્ણય ભાજપ માટે ફાયદાકારક
પક્ષના સાંસદ પિનકી મિશ્રા ભાષણ આપવા માટે તૈયાર હતા. પરંતુ સંસદમાં ચર્ચાના થોડા કલાક પહેલા બીજુ જનતા દળ પ્રમુખ નવીન પટનાયકે દિલ્હીમાં પોતાના સાંસદોને બોલાવ્યા અને તેમને અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચાથી દૂર રહેવાનો નિર્દેશ આપ્યો. બીજેડી સૂત્રો અનુસાર, નવીન પટનાયકે કહ્યુ કે એનડીએ અને યુપીએ બંનેએ ઓડિશાની મદદ કરી નથી. બીજી તરફ બીજેડીના આ પગલુ નવીન પટનાયકની રાજકીય શૈલીનું ઉદાહરણ કહી શકાય છે. સંસદમાં વોકઆઉટને એ રીતે પણ જોવામાં આવી રહ્યુ છે કે જ્યારે ઉપસભાપતિમાં ચૂંટણી થશે. આના અત્યારે એ ન કહી શકાય કે વિપક્ષના ઉમેદવાર પર બીજેડી સંમત થશે. કુલ મળીને બીજેડીનો આ નિર્ણય વિપક્ષ માટે ઝટકો જરૂર હતો.

એઆઈએડીએમકેનો મળ્યો સાથ
બીજેડીના બહાર જતા જ બીજેપીએ પોતાની જીત મોટા અંતરે થવાની નક્કી માની લીધી. જ્યારે અન્ય દળો એઆઈએડીએમકે અને ટીઆરએસે પોતાના નિર્ણયથી કંઈક અંશે ચોંકાવી દીધા. એઆઈએડીએમકેના 37 સાંસદોએ મોદી સરકારના પક્ષમાં મતદાન કરવાનો નિર્ણય કર્યો. એઆઈએડીએમકે સાંસદ પોન્નુસામી વેણુગોપાલે કહ્યુ કે કેન્દ્રએ તમિલનાડુની મદદ નથી કરી પરંતુ તેમછતાં કાવેરી બોર્ડે (સીએમબી) ની સ્થાપના માટે કેન્દ્રનો આભાર પ્રગટ કર્યો. એઆઈએડીએમકેનું કહેવુ હતુ કે આંધ્રપ્રદેશના હિત સાથે જોડાયેલા મુદ્દા અંગે ટીડીપી અવિશ્વાસ લઈને આવી છે. કાવેરી મામલે સહયોગ ન મળવાથી પણ એઆઈએડીએમકે વિપક્ષથી નારાજ હતી.

મતદાનથી દૂર રહી ટીઆરએસ
આ તરફ ટીઆરએસના વિનોદ કુમાર બોયાનાપલ્લીએ તેલુગુદેશન પક્ષના અવિશ્વાસ પ્રસ્તાવને ઝટકો આપ્યો. ટીડીપી ઈચ્છતી હતી કે આંધ્રને વિશેષ દરજ્જો આપવામાં આવે. ટીઆરએસ કોઈ પણ રાજ્યને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની વ્યવસ્થાનો વિરોધ કરી રહી છે. આ અંગે ટીઆરએસે કેન્દ્ર સરકાર સાથે મતભેદો છતાં મતદાનથી દૂર રહેવાનો નિર્ણય કર્યો.
-
Gold Rate Today: સોનું ફરી થયું સસ્તું, જાણો લેટેસ્ટ કિંમત -
Gujarat Weather: રાજ્યમાં આજે છૂટાછવાયા વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Ishan Kishan: IPLની પ્રથમ મેચમાં ઈતિહાસ રચશે ઈશાન કિશન, 2 રન બનાવીને કોહલી-રોહિતના ક્લબમાં થશે સામેલ -
New Income Tax Rules: સેલેરીથી લઈને શેરબજાર સુધી! 1 એપ્રિલથી બદલાઈ જશે આ મોટા નિયમ -
Weather Alert: યુપી-બિહાર સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, IMDએ આપી ચેતવણી -
IPL 2026 પહેલા આવ્યા મોટા સમાચાર! ફેન્સને FREEમાં મળશે આ સુવિધા, આ બાબતોનું રાખવું પડશે ધ્યાન -
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વડોદરા પોલીસના કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરનું કર્યું ઉદ્ધાટન -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી







Click it and Unblock the Notifications
