ચીન સાથે કોઇ સોદો નથી થયો: સલમાન ખુર્શીદ

સમાચારમાં કહેવામાં આવ્યું છે કે લદ્દાખના ચુમાર વિસ્તારમાંથી પોતાના શિબિર હટાવવા પર ભારતના રાજી થયા બાદ જ ચીને દૌલત બેગ ઓલ્ડી સેક્ટરની દેપસંગ ઘાટીથી પોતાના સૈનિક હટાવવા પર સહમતિ દર્શાવી.
9 મેથી શરૂ થઇ રહેલી ચીનની યાત્રા અંગે પૂછવા પર વિદેશ મંત્રીએ જણાવ્યું કે અમે ભવિષ્ય અંગે વાત કરીશું અને અમારુ નેતૃત્વ તેના માટે પ્રતિબદ્ધ છે. ભારત અને ચીન જે પણ મોટા કામ કરી શકે છે તેને મળીને અવશ્ય કરવું જોઇએ.
ચીનના વિદેશમંત્રી વંગ યી અને પ્રધાનમંત્રી લી કીક્યાંગની સાથે મુલાકાત દરમિયાન ખુર્શીદ સંભવત: ચીનની ઘુસણખોરીનો મુદ્દો ઉઠાવશે. સીમાના મુદ્દા ઉપરાંત ખુર્શીદની યાત્રાનો ઉદ્દેશ્ય લીની ભારત યાત્રાના કાર્યક્રમને અંતિમ રૂપ આપવાનું છે. લી પોતાના ભારત પ્રવાસ દરમિયાન નવી દિલ્હી અને મુંબઇ બંને સ્થળે જશે. ચીનના નવા પ્રધાનમંત્રીએ પોતાની પ્રથમ વિદેશ યાત્રા ભારતની જ કરવાનો નિર્ણય કર્યો છે કારણ કે તે ભારતની જનતા અને નેતાઓની સાથે મિત્રતા વધારી શકે.












Click it and Unblock the Notifications
