ઉન્નાવના ડોંડિયા ખેડાના કિલ્લામાં કોઇ સોનું નથી : ASI

ઉન્નાવ, 20 ઓક્ટોબર : ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં આવેલા ડોંડિયા ખેડા ગામમાં રાજા રાવ બખ્શસિંહના ખંડેર થઇ ચૂકેલા કિલ્લામાં દટાયેલા 1000 ટન સોનાના ખજાનાની શોધ માટેનો આજે ત્રીજો દિવસ છે. મહત્વની બાબત એ છે કે ખોદકામની બીજા દિવસનું ખોદકામ પૂરું થયા બાદ એએસઆઇએ જણાવી દિધું છે કે અહીં કોઇ પ્રકારનું સોનુ મળવાનું નથી.

આર્કિઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા - એએસઆઇના આ નિવેદન છતાં સાધુ શોભન સરકાર પોતાના નિવેદન પર અડગ છે. એએસઆઇની નિવેદન બાદ મહેલની આપપાસ સર્જાયેલો મેળા જેવો માહોલ હવે અલોપ થઇ ગયો છે. કિલ્લાની આસપાસની સુરક્ષા વધારે દેવામાં આવી છે.

unnao-daundiya-kheda-fort

એએસઆઇનું કહેવું છે કે તે પોતાની રીતે અહીં કામ કરી રહી છે અને જ્યાં સુધી સોનાનો ખજાનો મળવાનો પ્રશ્ન છે તો ડોંડિયા ખેડાના કિલ્લામાંથી કોઇ ખજાનો મળવાનો નથી. આવી સ્થિતિમાં સમગ્ર પ્રક્રિયા કેવી રીતે શરૂ થઇ તે અંગે એએસઆઇનું કહેવું છે કે આમાં ભૂલ સ્થાનિક વહીવટી તંત્રની છે. તેણે આ મુદ્દે ઉભી થતી અફવાઓ પર અંકુશ ના લગાવ્યો અને મીડિયાએ તેને વધારે હવા આપી.

શોભન સરકારે પોતાની આગાહીમાં સોનું મળશે તેવું તો કહ્યું હતું પરંતુ ક્યારે મળશે તેની કોઇ અવધિ જણાવી ન હતી. તેમણે એમ કહ્યું હતું કે 1000 ટન સોનું એક જગ્યાએથી નહીં પણ અલગ અલગ જગ્યાએથી મળશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X