આરૂષિ હત્યાકંડમાં તલવાર દંપત્તિને રાહત નહીં

આ સાક્ષીઓમાં કાયદો અને વ્યવસ્થાનાં મદદનીશ નિયામક તથા તે સમયનાં સીબીઆઈનાં સંયુક્ત નિયામક અરૂણ કુમારનો સમાવેશ થાય છે. નિચલી કોર્ટે ૬મેએ તેમની અરજી નકારી કાઢી હતી અને રાજેશ તેમજ નૂપુરનાં નિવેદનો દાખલ કરવાનો આદેશ આપ્યો હતો, જેઓ કેસમાં મુખ્ય આરોપીઓ છે. સીબીઆઈનાં તપાસ અધિકારી એ.જી.એલ કૌલ ફરિયાદી પક્ષનાં છેલ્લા સાક્ષી હતા અને તેઓનું નિવેદન લેવામાં આવ્યું છે.
આરૂષિ 16 મે, 2008માં નોયડાનાં જલવાયુ વિહાર સ્થિત તેનાં ઘરનાં બાથરૂમમાં મૃત મળી આવી હતી. પ્રાથમિક તપાસમાં હત્યાની શંકા ઘરનાં નોકર હેમરાજ પર ગઈ હતી, પરંતુ હેમરાજ પણ મકાનનાં ધાબા પર મૃત હાલતમાં મળી આવ્યો હતો.












Click it and Unblock the Notifications
