ગોવામાં નોર્વેના વ્યક્તિને કોરોનાવાઈરસનું સંક્રમણ, દિલ્હી, આગરા, આસામ અને મેઘાલય ફરવા ગયો હતો
ગોવામાં નોર્વેના વ્યક્તિને કોરોનાવાઈરસનું સંક્રમણ, દિલ્હી, આગરા, આસામ અને મેઘાલય પણ ફરવા ગયો હતો
પણજીઃ બુધવારે ગુવારામાં નોર્વેના એક શખ્સમાં કોરોનાવાઈરસનું સંક્રમણ મળી આવ્યું. સ્વાસ્થ્ય મંત્રી વિશ્વજીત રાણે તરફથી આ જાણકારી આપવામાં આવી છે. રાણેએ જણાવ્યું કે આ શખ્સ છ ફેબ્રુઆરીએ નોર્વેથી રવાના થયો અને પછી તે દિલ્હી, આગરા, આસામ તથા મેઘાલય ફરવા ગયો. તેમણે જણાવ્યું કે આ વ્યક્તિ 20 ફેબ્રુઆરીએ ગોવા પહોંચ્યો. 10 માર્ચથી તેને તાવ અને શરદી છે અને પણજીની હોસ્પિટલમાં તેને સંદિગ્ધ કેસ ગણવામાં આવ્યો.
જ્યારે કોલકાતા પોલીસે કોરોનાવાઈરસને લઈ સોશિયલ મીડિયા પર ફેક સમાચાર ફેલાવનારાઓ વિરુદ્ધ સખ્ત કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે આ સંબંધમાં કોલકાતા પોલીસ મુખ્યાલયો અને પોલીસ સ્ટેશનમાં વિશેષ દળ ગઠિત કરવામાં આવ્યા છે. આઈપીએસ અધિકારીએકહ્યું કે, ફેક સમાચાર ફેલાવનારાઓ વિરુદ્ધ સખ્ત કાર્યવાહી કરવાાં આવશે.
તેમણે કહ્યું કે કોલકાતા પોલીસની સાઈબર શાખા કોવિડ-19 પર ફેક માહિતી ફેલાવનારની કોઈપણ કોશિશને રોકવા માટે ઈન્ટરનેટ પર 24 કલાક દેખરેખ રાખી રહી છે. પોલીસ અધિકારીએ કહ્યું કે, વિશેષ અભિયાન અંતર્ગત અમારા અધિકારી લોકોને સમજાવશે કે ખોટા સમાચાર અને ખોટી સૂચના કાનૂન અને વ્યવસ્થાને કેવી રીતે નુકસાન પહોંચાડી શકે છે તથા ભ્રમ પેદા કરી શકે ચે. તેઓ નાગરિકોને અપુષ્ટ સૂચના અને અથવા તસવીરોને આગળ ફોરવર્ડ કરવાનું ટાળવા કહેશે. તમામ પોલીસ સ્ટેશને આ સંબંધમાં કાર્યવાહી કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.
શું ગરમી વધવાથી ખતમ થઈ જશે Coronavirus, જાણો શું કહે છે એક્સપર્ટ