Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Delhi Liquor Policy Case : 100 કરોડ તો છોડો એક રૂપિયાનું પણ કૌભાંડ થયું નથી - AAP નેતા અતિશી

Delhi Liquor Policy Case : દિલ્હીમાં થયેલા તથાકથિત દારુ કૌભાંડમાં ઇડી અને સીબીઆઇની તપાસ સતત ચાલી રહી છે. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયા આ કેસમાં હાલ જેલમાં છે. દિલ્હી દારુ કૌભાંડ કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.

આમ આદમી પાર્ટી પણ વારંવાર પ્રેસ કોન્ફરન્સ કરીને આ મામલે સ્પષ્ટતા કરવામાં વ્યસ્ત છે. આ ક્રમમાં આજે ફરી એકવાર દિલ્હીના મંત્રી આતિશી માર્લેનાએ રાઉઝ એવન્યુ કોર્ટને ટાંકીને પ્રેસ કોન્ફરન્સ કરીને EDની તપાસ પર સવાલો ઉઠાવ્યા છે.

Delhi Liquor Policy Case

રાઉઝ એવન્યુ કોર્ટને ટાંકીને આતિશીએ જણાવ્યું હતું કે, દારૂના કથિત કૌભાંડમાં બે લોકોને જામીન મળ્યા છે. 100 કરોડ છોડો, 30 કરોડ છોડો, ED પાસે નવા પૈસાના પુરાવા નથી. તેમણે કથિત કૌભાંડને ભાજપ દ્વારા બનાવટી અને મનની ઉપજ ગણાવી હતી.

આતિશીએ જણાવ્યું હતું કે, ન્યાયાધીશે પેરા 74માં તેમના આદેશમાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, ED પાસે રોકડમાં ચૂકવણી કરવા માટે કોઈ પુરાવા નથી.

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સીબીઆઈ દ્વારા 16 એપ્રિલના રોજ દિલ્હી સરકારની એક્સાઈઝ પોલિસીમાં કથિત કૌભાંડમાં પૂછપરછ માટે સમન્સ મોકલવામાં આવ્યા હતા. કેજરીવાલની લગભગ 9 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી.

EDની પૂછપરછ બાદ અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, મેં તમામ પ્રશ્નોના જવાબ આપ્યા છે. સમગ્ર કથિત દારૂનું કૌભાંડ ખોટું અને સસ્તું રાજકારણ છે. આમ આદમી પાર્ટી એક 'હાર્ડકોર ઈમાનદાર પાર્ટી' છે. તેઓ તમને ખતમ કરવા માંગે છે, પરંતુ દેશની જનતા અમારી સાથે છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X