અમિતાભે ટ્વિટર પર કરી સ્પષ્ટતા, મોદી સરકારની એડમાં કામ કરી રહ્યો નથી

મુંબઇ, 2 જાન્યુઆરી: બૉલીવુડના શહેનશાહ મિસ્ટર અમિતાભ બચ્ચને ગુરૂવારે રાત્રે ટ્વિટ કરીને તે બધી વાતોને નકારી કાઢી છે જેમાં કહેવામાં આવી રહ્યું હતું કે અમિતાભ બચ્ચન કેન્દ્ર સરકારના અલ્પસંખક પ્રોગામ માટે જાહેરાત કરવા જઇ રહ્યાં છે. સોશિયલ મીડિયામાં એકદમ એક્ટિવ રહેનાર અમિતાભ બચ્ચને ટ્વિટર પર લખ્યું છે કે પીએમઓ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મને કોઇપણ એડ કેમ્પેનમાં સામેલ થવા માટે કહ્યું નથી, એટલામ માટે જે પણ સમાચાર આવી રહ્યાં છે તે ખોટા છે અને હું બધી વાતોનું ખંડન કરું છું.

amitabh-bachchan

અત્રે ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલાં ઇન્ડિયન એક્સપ્રેસે સમાચાર પ્રકાશિત કર્યા હતા મોદી સરકાર અલ્પસંખ્યકોને ખુશ કરવા માટે એક કેમ્પેન ચલાવવા જઇ રહી છે જેના માટે તેમણે અમિતાભ બચ્ચનને સાથે લીધા છે. અમિતાભ બચ્ચન મોદી સરકારના આ કેમ્પેન પ્રોગામની જાહેરાતમાં નજર આવશે. નરેન્દ્ર મોદીએ પોતે અમિતાભ બચ્ચનને આ એડ કરવા માટે અંગત રીતે આમંત્રિત કર્યા છે.

થોડાં દિવસો પહેલાં નરેન્દ્ર મોદી અને એક્ટર અમિતાભ બચ્ચનની દિલ્હીમાં મુલાકાત પણ થઇ હતી. જેની પાછળનું કારણ ઇન્ડિયન એક્સપ્રેસે અલ્પસંખક કેમ્પેન પ્રોગામ જ ગણાવ્યું હતું. જો કે અમિતાભ બચ્ચનની વાતોએ આ સમાચારને ખોટા ગણાવ્યા છે. જોઇએ ભાજપ દ્વારા આ અંગે શું નિવેદન આવે છે?

અત્રે ઉલ્લેખનીય છે કે અત્યારે ભાજપના કેટલાક નેતાઓના લીધે ઘરવાપસી અને ધર્માંતરણ જેવા કાર્યક્રમોને પ્રોત્સાહન મળી રહ્યું છે જેના લીધે ભાજપને લાગે છે કે ક્યાંક આ બધું તેની છબિને અલ્પસંખ્યકોને અડંગ હિન્દુવાદી પાર્ટી ના બનાવી દે. આ નબળાઇને દૂર કરવા માટે મોદી સરકારે આ પ્રોગામની તૈયારી કરી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X