For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એનડીએમાં જોડાવાની ઇચ્છા નથીઃ શરદ પવાર

By Super
|
Google Oneindia Gujarati News

sharad pawar
નવીદિલ્હી, 16 ડિસેમ્બરઃ શિવસેના નેતા મનોહર જોશીએ ત્રણ દિવસ પહેલા શરદ પવાર અંગે કહ્યું હતુ કે જો તે એનડીએમાં સામેલ થઇ જાય તો તે 2014માં એનડીએ તરફથી પીએમ પદના ઉમેદવાર થઇ શકે છે. જોશીના નિવેદન અંગે પ્રતિક્રિયા આપી છે, શરદ પવારે સ્પષ્ટ કર્યું છે કે તે એનડીએમાં સામેલ થવા ઇચ્છૂક નથી.

શરદ પવારે કહ્યું કે, મનોહર જોશી આ પ્રકારે મજાકિયા નિવેદન આપતા રહે છે, તેમના નિવેદનને ગંભીરતાથી લેવાની જરૂર નથી.

શરદ પવાર મનોહર જોશીના નિવેદનને વધારે ગંભીરતથી નહીં લેવા અંગે જણાવી રહ્યાં છે, પરંતુ એનસીપી સુપ્રીમો શરદ પવારને એનડીએમાં સામેલ થવાના નિમંત્રણ વખેત શિવસેના નેતા મનોહર જોશી સંપૂર્ણ ગંભીર હતા.

શિવસેના નેતા મનોહર જોશીના આ નિવેદન બાદ પ્રશ્નો ઉઠવા લાગ્યા હતા કે શું પીએમ પદ માટે શરદ પવાર એનડીએમાં સામેલ થઇ શકે છે.

હવે શરદ પવારે પોતાના તરફથી સ્પષ્ટતા આપીને અટકળોના બજારને શાંત કરવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ તેમની સફાઇ બાદ એક નવો પ્રશ્ન ઉઠ્યો છે કે તે ખરેખર મનોહર જોશીના નિવેદનને ગંભીરતાથી નથી લઇ રહ્યાં.

English summary
Sharad Pawar made ​​it clear that they are not willing to join the NDA.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X