For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હવે અણ્ણા હઝારેએ મીડિયાની કામગીરી પર ઉઠાવ્યો સવાલ!

|
Google Oneindia Gujarati News

anna hazare
નવી દિલ્હી, 21 જુલાઇ : સામાજિક કાર્યકર્તા અણ્ણા હઝારેએ હવે મીડિયા પર પ્રહારો કરતા આજે જણાવ્યું હતું કે લોકતંત્રની ચોથી જાગીર પત્રકારત્વમાં પણ નજર લાગી ગઇ છે એક ચિંતાનો વિષય છે.

હઝારેએ હિન્દી પત્રકારત્વ પર આયોજિત એક કાર્યક્રમમાં જણાવ્યું કે પત્રકારત્વ લોકતંત્રનું ચોથું આધારસ્તંભ છે, જેને મજબૂત બનવું જોઇએ પરંતુ ચિંતાનો વિષય એ છે કે આ સ્તંભને પણ ડાઘ લાગી ગયો છે. તેમણે જણાવ્યું કે મીડિયા વિકાસ અને ગામ સંબંધી મુદ્દાને ધ્યાનમાં નથી લઇ રહ્યું.

અણ્ણા હઝારેએ ગામના વિકાસનો અર્થ નવી પંચાયત ઇમારતનું નિર્માણ અથવા હાલની ઇમારતોની ઉંચાઇ વધારવાનો નથી. ઇમારતોની ઉંચાઇ વધવાની સાથે સાથે લોકોના સિદ્ધાંતો નીચે જઇ રહ્યા છે. આ વિકાસ નથી. વિકાસનો અર્થ લોકોને અંદરથી મજબૂત બનાવવાનો છે.

તેમણે જણાવ્યું કે હાલના સમયમાં વિકાસનું મોડલ અપનાવવામાં આવી રહ્યું છે તેના માટે આંખો બંધ કરીને પાકૃતિક અને માનવ સંસાધનોનો દુરુપયોગ કરી રહ્યા છીએ તે ખોટું છે.

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X