હવે સોશિયલ મીડિયા સાથે જોડાયેલી ફરિયાદો સરકારને કરી શકાશે!
ભારતમાં લાંબા સમયથી સોશિયલ મીડિયા માટે નવા આઈટી નિયમોને લઈને ચર્ચા ચાલી રહી હતી. હવે ભારત સરકારે આ માટે સૂચના જારી કરી દીધી છે. નવા નિયમો અનુસાર યુઝર્સ તેની ફરીયાદ અપીલ કમિટીમાં કરી શકે છે.
નવી દિલ્હી : ભારતમાં લાંબા સમયથી સોશિયલ મીડિયા માટે નવા આઈટી નિયમોને લઈને ચર્ચા ચાલી રહી હતી. હવે ભારત સરકારે આ માટે સૂચના જારી કરી દીધી છે. નવા નિયમો અનુસાર યુઝર્સ તેની ફરીયાદ અપીલ કમિટીમાં કરી શકે છે. આ નવા નિયમો લાગુ થતા જ હવે 3 મહિનામાં આ કમિટીઓની રચના કરવામાં આવશે.
કેન્દ્ર સરકાર દ્વારા જારી કરાયેલા ગેઝેટ અનુસાર, 3 મહિનામાં ફરિયાદ અપીલ કમિટીની રચના કરવામાં આવશે. આ કમિટીઓ મેટા અને ટ્વિટર જેવી સોશિયલ મીડિયા કંપનીઓ દ્વારા કન્ટેન્ટના નિયમન અંગેના નિર્ણયોની સમીક્ષા કરી શકશે. આ અપીલ સમિતિઓની રચના માટે ઇન્ફોર્મેશન ટેક્નોલોજી (ઇન્ટરમીડિયેટ ગાઇડલાઇન્સ અને ડિજિટલ મીડિયા પોલિસી કોડ) નિયમો-2021માં કેટલાક ફેરફારો કરવામાં આવ્યા છે.
આ સુધારેલા નિયમો લાગુ થયાના ત્રણ મહિનામાં એક અથવા વધુ ફરિયાદ અપીલ કમિટીઓની રચના કરાશે. દરેક સમિતિમાં એક અધ્યક્ષ અને કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્ત બે સંપૂર્ણ સમયના સભ્યોનો સમાવેશ થાય છે. તેમાંથી એક હોદ્દેદાર સભ્ય હશે અને બે સ્વતંત્ર સભ્યો હશે.
નોટિફિકેશન મુજબ, ફરિયાદ અધિકારીના નિર્ણય સાથે અસહમત કોઈપણ વ્યક્તિ ફરિયાદ અધિકારી પાસેથી માહિતી મળ્યાના ત્રીસ દિવસની અંદર અપીલ કમિટીને ફરિયાદ કરી શકે છે. આ પગલું મોટી ટેક કંપનીઓ પર સિકંજો કરવાના રૂમમાં જોવામાં આવે છે. ગયા વર્ષે ટ્વિટર અને સરકાર વચ્ચે નવા નિયમોને લઈને વિવાદ થયો હતો.