હવે બીજેપીનો સાથ છોડે નીતિશ કુમાર: તારિક અનવર

તારિક અનવરે જણાવ્યું કે હવે સમય આવી ગયો છે કે નીતિશ કુમારે બીજેપીમાંથી અલગ થઇને બીજી કોઇ વાટ પકડી લેવી જોઇએ. જોકે નીતિશ કુમારે નરેન્દ્ર મોદીના પીએમ પદના ઉમેદવારી માટે જે વલણ અપનાવ્યું છે અને બીજેપી તેમને જે સ્થાને રાખી રહી છે તેના હિસાબે તેમણે હવે નિર્ણય કરી લેવો જોઇએ.
તેમણે જણાવ્યું કે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની નહીં તો રાષ્ટ્રીય છબી છે અને નહીં તેમણે રાષ્ટ્રીય સ્તરે ક્યારેય રાજનીતિ નથી કરી. એવામાં તેમને પ્રધાનમંત્રી તરીકે રજૂ કરી રહેલી ભારતીય જનતા પાર્ટીમાં આતંરીક નેતૃત્વની ખોટ દેખાઇ રહી છે.
તારીકે જણાવ્યું કે દિલ્હીમાં આયોજિત ભાજપની રાષ્ટ્રીય પરિષદની બેઠક દરમિયાન નરેન્દ્ર મોદીને જે રીતે રજૂ કરવામાં આવ્યા છે, જેનાથી સ્પષ્ટ થઇ ગયું છે કે ભાજપની પાસે રાષ્ટ્રીય સ્તરનો કોઇ નેતા નથી.












Click it and Unblock the Notifications
