બધી મોટી બેંકોએ એટીએમના ઉપયોગ પર લગાવ્યા ચાર્જ
નવી દિલ્હી, 10 નવેમ્બર: રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ફ્રી એટીએમ ટ્રાંજેક્શનને લઇને ગાઇડ લાઇન જાહેર કર્યા બાદ દેશની ઘણી બેંકોએ તેને ભલે તરત જ લાગૂ ન કરી હતી પરંતુ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા બાદ હવે એચડીએફસી, એક્સિસ બેંક અને યૂનિયન બેંક જેવી મોટો બેંકોએ લાગૂ કરવાનો નિર્ણય કરી લીધો છે.
હવે 1 ડિસેમ્બરથી એચડીએફસી અને એક્સિસ બેંક એટીએમમાંથી 5 વખત ફ્રી ટ્રાંજેક્શનની સુવિધા આપશે. ત્યારબાદ દરેક ટ્રાંજેક્શન પર 20 રૂપિયા અને ટેક્સ આપવો પડશે.
એટલું જ નહી હવે કસ્ટમર બીજી બેંકના એટીએમમાંથી પણ મહિનામાં ત્રણ વખત ફ્રી ટ્રાંજેક્શન કરી શકશે. આ નિયમ મેટ્રો શહેર દિલ્હી, મુંબઇ, કલકત્તા, ચેન્નઇ, બેંગ્લોર અને હૈદ્વાબાદમાં લાગૂ થશે.
તો બીજી તરફ યૂનિયન બેંક પોતાના ગ્રાહકોને 8 વખત ફ્રી ટ્રાંજેક્શનની સુવિધા આપશે. ત્યારબાદ તે દરેક ટ્રાંજેક્શન પર 15 રૂપિયાનો ચાર્ચ અને ટેક્સ આપવો પડશે. સાથે જ બીજી બેંકોના એટીએમમાંથી ફ્રી ટ્રાંજેક્શનની મર્યાદા મહિનામાં 3 વખત જ રહેશે.
તમને જણાવી દઇએ કે ગત મહિને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ)એ કહ્યું હતું કે 1 નવેમ્બરથી બેંક 6 મેટ્રો શહેરો દિલ્હી, મુંબઇ, કલકત્તા, ચેન્નઇ, હૈદ્વાબાદ અને બેંગ્લોરમાં ખાતાધારકો પાસેથી મહિનામાં 5થી વધુ વખત એટીએમનો ઉપયોગ કરવા પર તેમની પાસે ચાર્જ લઇ શકે છે.
સાથે જ બીજી બેંકના એટીએમમાંથી મહિનામાં 5 વખત મફત ટ્રાંજેક્શનની મર્યાદા ઘટાડીને ત્રણ વખત કરી દેવામાં આવી હતી, પરંતુ સ્ટેટ બેંક, એચડીએફ અને આઇસીઆઇસીઆઇ જેવી બેંકોએ પોતાના ગ્રાહકોની સુવિધાને ધ્યાનમાં રાખતાં આમ ન કરવાની જાહેરાત કરી હતી પરંતુ હવે આ બધી બેંકોએ તેમની લિમિટ નક્કી કરવાનો નિર્ણય લઇ લીધો છે.