હવે બે પોલીસ સ્ટેશનની હદનો વિવાદ નહીં રહે

હવે આ સમસ્યાનો ઉકેલ કેન્દ્ર સરકારે શોધી કાઢયો છે.
કેન્દ્ર સરકારે તમામ રાજયોને જણાવી દીધું છે કે કોઇપણ ક્રાઇમ અંગેની ફરિયાદ કે માહિતી મળે તો જયુરીસડિકશનના વાદ વિવાદમાં પડયા વગર ઝીરો એફઆઇઆર નોંધવામાં આવે. ક્રિમીનલ લોમાં તાજેતરમાં કરવામાં આવેલા ફેરફારોનો અમલ શરૂ કરવાના આદેશો કેન્દ્રએ આપ્યા છે. કેન્દ્રએ રાજયોને એવી પણ ચેતવણી આપી છે કે, કોઇપણ એફઆઇઆર નોંધવાની કોઇ પોલીસ કર્મચારી ના પાડે તો તેને જેલની સજા કરવામાં આવે.
કેન્દ્રના ગૃહ મંત્રાલયે તમામ રાજયોને જણાવ્યું છે કે તમામ પોલીસ સ્ટેશનોમાં અને પોલીસ પોસ્ટમાં આ માટે જાગૃતિના કેમ્પ પણ યોજવામાં આવે. રાજયોને મોકલેલા નિર્દેશોમાં કેન્દ્રના ગૃહ મંત્રાલયે જણાવ્યુ છે કે ઘણી વખત જયુરીસડિકશન (હદ) નક્કી કરવામાં કિંમતી સમય ચાલ્યો જતો હોય છે અને તેનાથી પીડિતને નુકસાન થતું હોય છે અને ગુનેગારને છટકી જવાની તક પણ મળી જતી હોય છે.
આ સુધારાઓ નવા ક્રિમીનલ લો (સુધારા) એકટ 2013માં સુચવવામાં આવ્યા છે. દિલ્હીમાં 23 વર્ષની યુવતી ઉપર થયેલા ગેંગરેપ બાદ આ નવો કાયદો ઘડવામાં આવ્યો છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જણાવ્યુ છે કે, તાજેતરમાં એવા અનેક કેસ જોવા મળ્યા છે જયાં પોલીસે એફઆઇઆર નોંધવાનો ઇન્કાર કર્યો હોય અથવા તો હદ નક્કી કરવાનો મામલો આગળ ધરીને એફઆઇઆર નોંધવાની ના પાડી હોય.
ગૃહ મંત્રાલયે જણાવ્યું છે કે પોલીસને કોગ્નીઝેબલ ગુન્હાની માહિતી મળે કે તરત જ એફઆઇઆર નોંધવી જોઇએ અને એફઆઇઆર નોંધ્યા બાદ તપાસમાં એવુ જણાય કે આ મામલો અન્ય પોલીસ સ્ટેશનના જયુરીસડીકશનમાં આવે છે તો એફઆઇઆર તેણે જે તે પોલીસ સ્ટેશનને ટ્રાન્સફર કરવાની રહે છે. જો એફઆઇઆર નોંધતી વખતે પોલીસ સ્ટેશનને એવું જણાય કે આ ગુન્હો તેની હદમાં આવતો નથી તો જે તે પોલીસ સ્ટેશને ઝીરો એફઆઇઆર નોંધવાની રહેશે અને પછી એફઆઇઆર જે તે સંલગ્ન પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરી દેવાની રહેશે.
જો માહિતી મળ્યા બાદ એફઆઇઆર નોંધવાનો કોઇપણ પોલીસ કર્મચારી ઇન્કાર કરે તો પોલીસ સામે 166 એ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. જેમાં 6 મહિના સુધીની જેલની જોગવાઇ છે અને તે જેલવાસ બે વર્ષ સુધી લંબાવવાની પણ જોગવાઇ છે. દંડ સાથે જે તે પોલીસ કર્મચારીએ ખાતાકીય પગલાંનો પણ સામનો કરવો પડશે.
-
હોળી પ્રગટાવવા દરમિયાન બબાલ બાદ રાજકોટમાં 3 લોકોની અટકાયત -
India Flights Resume : મધ્ય પૂર્વથી ભારત માટે ફ્લાઇટ સેવાઓ ફરી શરૂ, ઇન્ડિગો અને અમીરાતે રાહત ફ્લાઇટ્સ શરૂ કરી -
કીર્તિ પટેલ-ઈન્દ્રભારતી બાપુ વચ્ચે સમાધાન, મૃગી કુંડમાં સ્નાન કરતા શરૂ થઈ હતી બબાલ -
Gold Rate Today: ધૂળેટીના દિવસે ઘટ્યા સોનાના ભાવ, જાણો લેટેસ્ટ કિંમત -
સુરત એરપોર્ટ પર નકલી પાસપોર્ટ સાથે એક વ્યક્તિ ઝડપાયો -
IND vs ENG: આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે સેમિફાઇનલ મેચ, જાણો ક્યાં જોઈ શકાશે LIVE -
Gujarat Weather: રાજ્યમાં ગરમીનું જોર વધવાની હવામાન વિભાગે કરી મોટી આગાહી -
માર્ચ મહિનો કેટલો ગરમ રહેશે? ગરમીને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી -
રાજકોટથી મુંબઈ જવું હવે વધુ સરળ બનશે, 2 નવી ફ્લાઇટ થશે શરૂ -
ભારત-ઈંગ્લેન્ડ સેમિફાઇનલ ટાઇ થઈ તો? જાણો ફાઇનલ કઈ ટીમ રમશે? -
IND vs ENG: શું 5 નહીં હવે 6 માર્ચે રમાશે ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે સેમિફાઇનલ મેચ? ICCએ આપ્યું અપડેટ -
મહેન્દ્ર સિંહ ધોનીથી થઈ ગઈ ભૂલ? પોલીસે ફટકાર્યો દંડ, જાણો શું છે સમગ્ર મામલો









Click it and Unblock the Notifications
