ભારતભરના મુખ્ય સમાચાર સંક્ષિપ્તમાં વાંચો અહીં
ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારો તસવીરોના માધ્યમથી.
વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ. ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા.
પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર. દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં..

પેટ્રોલના ભાવમાં વધારો તો ડિઝલના ભાવમાં ધટાડો
તહેવારો આવતા જ મોંધવારીની મૌસમ પણ શરૂ થઇ ગઇ છે. જે અંતર્ગત પેટ્રોલના ભાવમાં વધારો થયો છે. ગત રાતથી પેટ્રોલના ભાવમાં 28 પૈસાનો વધારો થયો છે. તો ડીઝલના ભાવમાં 6 પૈસાનો મામૂલી ઘટાડો જોવા મળ્યો છે.

સર્જિકલ સ્ટ્રાઇક પછી આંતકીઓમાં ભારતીય લશ્કરનો ભય બેઠો
ભારતીય સેના દ્વારા પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં સીમામાં ધૂસીને જે સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી હતી. તે બાદ આતંકીઓમાં ભારતીય સેનાનો એ હદે ભય બેઠો છે કે આતંકીઓ બેઝ કેમ્પ ખાલી કરીને જતા રહ્યા છે તેવા સમાચાર ગુપ્તચર સંસ્થા પાસેથી આવ્યા છે. આ કેમ્પમાં લગભગ 500 જેટલા આતંકીઓ પ્રશિક્ષણ લઇ રહ્યા હતા. પણ હવે આ વિસ્તારોને ખાલી કરવામાં આવ્યા છે. તેવી માહિતી મળી છે.

કોલકત્તા ટેસ્ટ: ન્યૂઝીલેન્ડને ભારતે આપ્યો ઝટકો
કોલકત્તામાં ચાલી રહેલા ટેસ્ટ મેચમાં ભારતે 316 રન કરી ખૂબ જ ખરાબ શરૂઆત કરી હતી. તે બાદ રમવા ઉતરેલી ન્યૂઝિલેન્ડે પણ લંચ ટાઇમ સુધી બે વિકેટ ગુમાવી ચૂકી છે. બોલર મુહમ્મદ શમીએ ન્યુઝીલેન્ડની પહેલી અને ભુવનેશ્વરે બીજી વિકેટ લીધી છે.

સર્જિકલ સ્ટ્રાઇક પછી કાશ્મીરમાં 26 હજાર લોકો બેઘર
ભારત પાકિસ્તાન વચ્ચે સર્જિકલ સ્ટ્રાઇક પછી જે તનાવપૂર્ણ સ્થિતી સર્જાઇ છે તેને જોતા દેશભરમાં હાઇએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સાથે જ પાકિસ્તાનની સીમા સાથે જોડાયેલા રાજ્યોને પણ ખાસ સૂચનાઓ આપવામાં આવી છે. અને સીમાવર્તી ગામોને ખાલી કરાવવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત જમ્મુ કાશ્મીરના સીમા પાસે આવેલા ગામોને ખાલી કરવામાં આવ્યા છે. અને લગભગ 26 હજાર લોકોને હાલ શર્ણાર્થી શિબરમાં લાવવામાં આવ્યા છે.

65 હજાર કરોડ રૂપિયાનું કાળુ નાણું મળ્યું
કાણાનાણાં પર આજે નાણાં પ્રધાન અરુણ જેટલીએ જણાવ્યુ કે ટેક્સ ચોરી રોકવા માટે સરકારે મહત્વપૂર્ણ પગલા લીધા છે. એમએસબીસીના લિસ્ટના 8000 કરોડ રૂપિયાના ટેક્સની આકરણી કરવામાં આવી છે. અરુણ જેટલીએ જણાવ્યું કે 64,275 લોકોએ પોતાની અપ્રગટ આવક જાહેર કરી છે. જે દ્વારા 65,250 કરોડ રૂપિયા એકત્રિત થયા છે. અને 45 ટકા ટેક્સના હિસાબે સરકારી ખજાનામાં લગભગ 30 હજાર કરોડ રૂપિયાનો ટેક્સ આવશે. જો કે તેમણે અપ્રગટ આવક જાહેર કરનાર લોકોના નામ જાહેર મામલે ચૂપકી સાંધી હતી.
-
PNG New Rule: ઘરમાં પાઈપલાઈન ગેસ અને LPG બંને છે તો સાવધાન! તાત્કાલિક કરો આ કામ, સરકારનો નવો આદેશ લાગુ -
Gold Price Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાના ભાવમાં ઘટાડો, જાણો આજના ભાવ -
IPL 2026: આ 5 ખેલાડીઓ છેલ્લી આઈપીએલ રમશે? લઈ શકે છે નિવૃત્તિ -
ગુજરાતના ઘણા જિલ્લાઓમાં વાતાવરણમાં પલ્ટો, માવઠાને લઈને હવામાન વિભાગની નવી આગાહી -
ગુજરાત-મહારાષ્ટ્ર સહિત 6 રાજ્યોમાં પેટાચૂંટણીનું શિડ્યુલ જાહેર, આ 8 બેઠકો પર સૌની નજર, ક્યારે આવશે પરિણામ? -
અમરેલી: ખાંભાના ઈંગોરાળામાં 220 લીટર નકલી દૂધ ઝડપાયુ -
IPL 2026 Tickets: આઈપીએલની ટીકીટ કઈ રીતે કરી શકશો બુક, જાણો કિંમતથી લઈ તમામ જાણકારી -
Gold Rate Today: સોનાના ભાવમાં મોટો ઘટાડો! ₹2990 સસ્તું થયું સોનું, જાણો આજની લેટેસ્ટ કિંમત -
Rajya Sabha Election 2026: 10 રાજ્યોની 37 રાજ્યસભા બેઠકો માટે મતદાન, જાણો પરિણામો ક્યારે? -
LPG Shortage: 'PNG ધારકોને નહીં મળે LPG કનેક્શન', નોટિફિકેશન જાહેર, આજે કેટલામાં મળી રહ્યો છે સિલિન્ડર? -
ગુજરાતમાં LPG ગોડાઉન પર પોલીસ તૈનાત કરાશે, સુરક્ષા માટે સરકારનો નવો આદેશ -
પરસેવો છોડાવતી ગરમી વચ્ચે માવઠાની આગાહી, ખેડૂતો ચિંતામાં











Click it and Unblock the Notifications
