ભારતભરના મુખ્ય સમાચાર સંક્ષિપ્તમાં વાંચો અહીં
ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારો તસવીરોના માધ્યમથી.
વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ. ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા.
પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર. દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં..

અનામત નાબૂદ કરોઃ શંકરાચાર્ય
દ્વારકા શારદાપીઠના શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીજીના પ્રતિનિધિ સ્વામી સદાનંદ સરસ્વતીએ પાટીદારોને પત્ર લખ્યો. જેમાં કહેવામાં આવ્યું છે કે અનામતના કારણે યુવાનોને નુકસાન થઇ રહ્યું છે. સરકારે જાતિના આધારે અનામત આપવાના કારણે અંદરોઅંદર રાગ-દ્વેષની ભાવના ઉભી થઇ છે.

પહેલા નોરતે જ વરસાદ પડ્યો
નવરાત્રીના પહલે દિવસે જ વરસાદે ખેલૈયાઓની મજા બગાડી હતી. રાત્રે 11 વાગ્યે તોફાની પવન સાથે વરસાદ ખાબકતાં ગરબાના કંદમાં ભંદ પડ્યો હતો. વરસાદને કારણે ખેલૈયાઓ ઉદાસ થઈ ગયા હતા જ્યારે રાસ ગરબાના આયોજકોની પણ હાલત કફોડી બની હતી.

બૉલીવુડમાં બેનના કારણે પાકિસ્તાની કલાકારો થઇ શકે છે પાયમાલ
પાકિસ્તાની કલાકારોને બૉલીવુડમાં પ્રતિબંધિત કરાઇ રહ્યા છે. ફવાદ અને અલી ઝફર જેવા કલાકારોને પાકિસ્તાનમાં એક ફિલ્મ માટે 25 લાખ મળે છે. જ્યારે બૉલીવુડમાં તેમને એક ફિલ્મ માટે દોઢ કરોડ રૂપિયા મળે છે. સ્ટેજ શો વગેરે મળતા બંધ થઇ જશે જેથી 75 ટકા આવકનો ઘટાડો થશે.

સેનાના ડરથી પીઓકેમાંથી 300 આતંકીઓ નાસી છૂટ્યા
પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં સર્જિકલ સ્ટ્રાઇક કરી ભારતીય આર્મીએ 50 આતંકીઓનો ખાતમો બોલાવ્યો હતો. જે બાદ પીઓકેમાંથી અંદાજે 300 આતંકીઓ કેમ્પો છોડી નાસી છૂટ્યા છે. ભારતના સર્જિકલ સ્ટ્રાઇક પહેલાં આ કેમ્પોમાં 500થી વધુ આતંકીઓ હતા.

પાકિસ્તાન સાથેની સીમા પર ટેન્કો તૈનાત
પીઓકેમાં ભારતે કરેલા સફળ સર્જિકલ સ્ટ્રાઇક બાદ પરિસ્થિતિ વણસી શકે છે. ત્યારે અખનુર સેક્ટરના વાસ્તવિક નિયંત્રણ રેખા પાસેના પ્લાંવાલામાં બજાર ખાલી કરી દેવાયું. 42 ગામો ખાલી કરાવી સીમા પર ટેન્કો ગોઠવી દેવાનો નિર્ણય કરાયો છે.

ગાંધીજયંતિ નિમિત્તે હાઇકોર્ટે વકીલોની પદયાત્રા
આજે હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશન દ્વારા પદયાત્રા યોજવામાં આવી છે. ગાંધી આશ્રમથી શરૂ થયેલી આ પદયાત્રા હાઇકોર્ટ સુધી પહોંચી હતી. જે બાદ હાઇકોર્ટ ઓડિટોરિયમમાં પરિસંવાદ યોજાયો હતો.
-
Gold Rate Today: સોનું ફરી થયું સસ્તું, જાણો લેટેસ્ટ કિંમત -
Gujarat Weather: રાજ્યમાં આજે છૂટાછવાયા વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Ishan Kishan: IPLની પ્રથમ મેચમાં ઈતિહાસ રચશે ઈશાન કિશન, 2 રન બનાવીને કોહલી-રોહિતના ક્લબમાં થશે સામેલ -
New Income Tax Rules: સેલેરીથી લઈને શેરબજાર સુધી! 1 એપ્રિલથી બદલાઈ જશે આ મોટા નિયમ -
Weather Alert: યુપી-બિહાર સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, IMDએ આપી ચેતવણી -
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વડોદરા પોલીસના કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરનું કર્યું ઉદ્ધાટન -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
IPL 2026 પહેલા આવ્યા મોટા સમાચાર! ફેન્સને FREEમાં મળશે આ સુવિધા, આ બાબતોનું રાખવું પડશે ધ્યાન -
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી







Click it and Unblock the Notifications
