ઑડ-ઈવન 2019: દિલ્લી સરકારે સરકારી ઓફિસોના સમયમાં કર્યો ફેરફાર, જાણો શું છે સમય
દિલ્લી સરકારે ઑડ-ઈવન નિયમ માટે પોતાની ઓફિસના સમયમાં ફેરફાર કર્યો છે. દિલ્લીમાં 4 નવેમ્બરથી 15 નવેમ્બર સુધી ઑડ-ઈવન નિયમ લાગુ રહેશે.
દિલ્લી સરકારે ઑડ-ઈવન નિયમ માટે પોતાની ઓફિસના સમયમાં ફેરફાર કર્યો છે. 21 વિભાગ સવારે 9.30 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી કામ કરશે. જ્યારે અમુક વિભાગ સવારે 10.30 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી કામ કરશે. દિલ્લીમાં 4 નવેમ્બરથી 15 નવેમ્બર સુધી ઑડ-ઈવન નિયમ લાગુ રહેશે. દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલે શુક્રવારે એક બેઠક બોલીવી હતી જેમાં આ નિર્ણય લેવામાં આવ્યો. અરવિંદ કેજરીવાલે આ બેઠકમાં વર્લ્ડ રિસોર્સીઝ ઈન્સ્ટીટ્યુટના મુખ્ય કાર્યકારી અધિકારી ઓપી અગ્રવાલને પણ આમંત્રિત કર્યા હતા.

તેમણે વાહન વ્યવહારને સુગમ કરવા તથા વાયુ પ્રદૂષણ ઘટાડવા માટે સરકારી ઓફિસોના કામકાજના સમયને અલગ અલગ પાળીઓમાં બદલવાના વિષયમાં સૂચન કર્યા. મુખ્યમંત્રીએ કહ્યુ કે રાજધાનીમાં મોટર વાહન રસ્તાઓ પર એકસાથે ના થાય એ સુનિશ્ચિત કરવા માટે જ સરકારે સરકારી કાર્યાલયોને શરૂ અને બંધ થવાના સમયને બદલવાનો નિર્ણય લીધો છે. ઑડ-ઈવન યોજના દરમિયાન ઓફિસોના કલાકોને અલગ અલગ કરવામાં આવ્યા છે. અરવિંદ કેજરીવાલે એક સવાલના જવાબમાં કહ્યુ કે હજુ અમે ખાનગી સેક્ટરના ટાઈમિંગ વિશે કોઈ નિર્ણય કર્યો નથી પરંતુ જો આગળ ક્યારેય ઑડ-ઈવન લાગુ કરીશુ તો ખાનગીને પણ સાથે લેવાની કોશિશ કરીશુ.
અરવિંદ કેજરીવાલે પરાલી બાળવા તરફ ઈશારો કરીને કહ્યુ કે છેલ્લા એક મહિનામાં તો આ જ કામ થયુ છે. તેમણે કહ્યુ કે દિલ્લીના લોકોના આરોગ્ય માટે બહુ ચિંતિત છુ. અમે લોકો પૂરી કોશિશ કરી રહ્યા છે. ઘણા સ્ટેપ્સ ઉઠાવ્યા છે. પરંતુ દિલ્લીની જનતાને વિપક્ષી પાર્ટીઓ ગાળો દઈ રહી છે તે યોગ્ય નથી. વિપક્ષી પાર્ટીઓ સ્મોગ અને પ્રદૂષણ માટે દિલ્લીની જનતા પર આરોપ લગાવી રહી છે. તેમણે કહ્યુ કે હું હરિયાણા સરકારને પૂછવા માંગુ છુ કે તમે અમને જણાવો કે તમે ક્યાં સુધીમા પરાલી બાળવાનુ બંધ કરાવશો. ખટ્ટર સરકાર અને પંજાબની કેપ્ટન સરકારે જણાવવુ પડશે.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
World Water Day 2026: ઉનાળાના પ્રારંભે ગુજરાતના જળાશયોમાં કેટલું પાણી? જાણો 207 ડેમની લેટેસ્ટ સ્થિતિ








Click it and Unblock the Notifications
