ઓરિસ્સાઃ રાજ્ય સરકારે રુ.5358 કરોડના રોકાણને આપી મંજૂરી, 3 હજારથી વધુ લોકોને મળશે રોજગાર
ભૂવનેશ્વરઃ Odisha Govt approves 5368 croer Investment: મુખ્યમંત્રી નવીન પટનાયકે બુધવારે ધાતુ, સિમેન્ટ અને પેટ્રોકેમિકલ ક્ષેત્રમાં 5358 કરોડ રૂપિયાના રોકાણને મંજૂરી આપી. રાજ્ય સરકારના આ પગલાંથી ઓરિસ્સામાં લોકો માટે રોજગારના અવસર પેદા થશે. સરકાર તરફથી આપવામાં આવેલી માહિતી મુજબ આ રોકાણથી 3,667 લોકો માટે રોજગારના અવસર પેદા થશે.
કોરોના મહામારીમાં સરકારે 1.19 લાખ કરોડ રૂપિયાના રોકાણને આપી છે મંજૂરી
એક અધિકારીએ આ માહિતી આપીને કહ્યુ કે બુધવારે મુખ્યમંત્રી નવીન પટનાયકની અધ્યક્ષતામાં થયેલી એક હાઈ લેવલની મીટિંગમાં આ રોકાણને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. અધિકારીએ કહ્યુ કે કોરોના મહામારીના આ દોરમાં પણ રાજ્ય સરકારે ફેબ્રુઆરી 2020થી અત્યાર સુધી 1.19 લાખ કરોડ રૂપિયાના રોકાણને મંજૂરી આપી છે. સરકારના આ પગલાંથી રોજગાર આવશે અને બેરોજગારી દર ઘટશે.
રાજ્ય સરકારની આ પરિયોજનાઓ લાવશે રોજગારના અવસર
- માહિતી મુજબ કલિંગનગરમાં 2,715 કરોડ રૂપિયાના રોકાણને મંજૂરી આપવામાં આવી. સાથે જ યજદાની સ્ટીલ એન્ડ પાવર લિમિટેડના એકીકૃત પ્લાન્ટના વિસ્તારને સૈદ્ધાંતિક રીતે મંજૂરી આપવામાં આવી. આ પરિયોજનામાં 2,867થી વધુ લોકો માટે રોજગાર સૃજનની ક્ષમતા છે.
- આ ઉપરાંત શિવા સિમેન્ટ લિમિટેડ સુંદરગઢ જિલ્લાા તેલિઘાના અને કુટરામાં 1,523.24 કરોડ રૂપિયાનુ રોકાણ કરશે. જેનાથી 600થી વધુ લોકોને રોજગાર મળશે.
- જગતસિંહના પારાદીપમાં નુમાલીગઢ રિફાઈનરી લિમિટેડ (એનઆરએલ) દ્વારા 1,420 કરોડ રૂપિયાના રોકાણ સાથે એક કાચા તેલ ટર્મિનલ વિકસિત કરવાનો પ્રસ્તાવને લીલી ઝંડી મળી ગઈ છે.
US: કેપિટલ બિલ્ડિંગ હિંસા બાદ ટ્રમ્પને હટાવવાની તૈયારી