વાઢેરા-DLF ડીલમાં તપાસના આદેશ આપનાર અધિકારીની બદલી
કોંગ્રેસ અધ્યક્ષા અને યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધીના જમાઇ રોબર્ટ વાઢેરા અને રિયલ એસ્ટેટ કંપની ડીએલએફ વચ્ચે થયેલી 58 કરોડની જમીન ડીલનું મ્યુટેશન કરનાર વરિષ્ઠ આઇએએસ અધિકારીની બદલી કરી દેવામાં આવે છે. હરિયાણાના મુખ્ય સચિવને પત્ર લખીને રાજ્યના જમીન કૌભાંડને બહાર લાવનાર વરિષ્ઠ આઇએએસ અધિકારી અશોક ખેમકાની ટૂંક સમય પહેલાં જ બદલી કરી દેવામાં આવી છે.
વાઢેરાએ 3531 એકર જમીન રિયલ એસ્ટેટ કંપની ડીએલએફને વેંચી હતી, ખેમકાને વાઢેરાની કંપની સ્કાઇ લાઇટ હોસ્ટિટાલિટી પ્રાઇવેટ લિમિટેડ અને ડીએલએફ વચ્ચે આ જમીન ખરીદ પ્રક્રિયામાં અનિયમિતતા જણાઇ, ત્યાર બાદ તેમણે તેનું મ્યૂટેશન રદ કરી નાંખ્યું હતું. જમીન ડીલને રદ કરવાના દસ્તાવેજ અનુસાર માનેસર-શિકોહપુરમાં થયેલું જમીન વેચાણના કાગળ પર અનાધિકૃત અધિકારીની સહી જોવા મળી હતી.
આઇએસીના સભ્ય અરવિંદ કેજરીવાલ પહેલેથી જ આ બધી બાબતોને લઇને રોબર્ટ વાઢેરા પર નિશાન તાકી ચૂક્યા છે. જણાવવામાં આવ્યું છે કે જે જમીન વાઢેરાએ સરકારી અનુકંપાના કારણે 5 કરોડ રૂપિયામાં હાંસલ કરી એ જ જમીનને તેમણે ડીએલએફને 58 કરોડ રૂપિયામાં વેંચી. અહેવાલ અનુસાર વાઢેરાએ આ રકમનો ઉપયોગ ડીએલએફ પ્રીમિયમ એપાર્ટમેન્ટ ખરીદવામાં કર્યો છે.