ભાજપની ઔકાત નથી કે અમને સરકારથી હટાવે: ઓપી રાજભર
સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ભાજપ સરકારમાં મંત્રી ઓમ પ્રકાશ રાજભર ઘ્વારા ફરી એકવાર ભાજપ પર પ્રહાર કરવામાં આવ્યા છે.
સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ભાજપ સરકારમાં મંત્રી ઓમ પ્રકાશ રાજભર ઘ્વારા ફરી એકવાર ભાજપ પર પ્રહાર કરવામાં આવ્યા છે. તેમને કહ્યું કે ભાજપની એટલી ઔકાત નથી કે તેઓ ઓમ પ્રકાશ રાજભરને સરકારથી હટાવે. હું રાજીનામુ આપવા માટે તૈયાર છું, પરંતુ કોઈ રાજીનામુ લેવા તૈયાર તો હોય.
આ પણ વાંચો: પીએમ બન્યા પછી પહેલીવાર અયોધ્યા જશે નરેન્દ્ર મોદી
ઉમેદવારના નોમિનેશનમાં પહોંચ્યા રાજભર
આપને જણાવી દઈએ કે લોકસભા ચૂંટણી 2019 ના અંતિમ તબક્કા માટે પ્રદેશના માઉ જનપથમાં નોમિનેશન પ્રક્રિયા શરુ થઇ ચુકી છે. નોમિનેશનના ત્રીજા દિવસે સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીના ઉમેદવાર મહેન્દ્ર રાજભરે નોમિનેશન ફાઈલ કર્યું. આ દરમિયાન પાર્ટી અધ્યક્ષ અને ભાજપના મંત્રી ઓમ પ્રકાશ રાજભર પણ ત્યાં પહોંચ્યા હતા.
રાજભરે કહ્યું, હું તો હંમેશાથી રાજીનામુ આપવા તૈયાર છું
મીડિયાના સવાલોનો જવાબ આપતા રાજભરે કહ્યું કે ભાજપમાં દમ નથી કે અમારું રાજીનામુ લે. હું તો હંમેશાથી રાજીનામુ આપવા તૈયાર છું. તેમને કહ્યું કે લોકસભા ચૂંટણીમાં મેં ભાજપ પાસે એક સીટ માંગી હતી પરંતુ જયારે ભાજપે એક પણ સીટ નહીં આપી ત્યારે અમે પૂર્વાંચલની બધી જ 30 સીટો પર ઉમેદવારો ઉભા કરી દીધા. પૂર્વાંચલની જેટલી પણ સીટો છે, ત્યાં ફક્ત ભાજપને જ નુકશાન થઇ રહ્યું છે.
અખિલેશ યાદવના વખાણ
ઓમ પ્રકાશ રાજભરે અખિલેશ યાદવ સામે ચૂંટણી લડી રહેલા ભાજપ ઉમેદવાર અને ભોજપુરી ફિલ્મ અભિનેતા દિનેશ લાલ યાદવ નીરુવવા પર જોરદાર પ્રહાર કર્યા છે અને કહ્યું કે તેની ઔકાત નથી કે તે અખિંયેશ યાદવ સામે ચૂંટણી જીતી શકે. તેમને અખિલેશ યાદવના પણ વખાણ કર્યા અને કહ્યું કે તેઓ એક સારા વ્યક્તિ છે.