'PM મોદી માટે એકઠી કરેલી ભીડમાં કોઈ પણ પોતાની મરજીથી સામેલ નહિ થાય...', ઉમર અબ્દુલ્લાનો મોટો આરોપ
PM Modi Srinagar Vistit: નેશનલ કૉન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જમ્મુ-કાશ્મીરની શ્રીનગર મુલાકાત પર નિશાન સાધ્યું છે. ઓમર અબ્દુલ્લાએ આરોપ લગાવ્યો છે કે 'સરમુખત્યારશાહી' જમ્મુ અને કાશ્મીર સરકારે પીએમ નરેન્દ્ર મોદીની રેલીમાં ભીડ એકઠી કરવાના તમામ શક્ય પ્રયાસો કર્યા છે.
ઓમર અબ્દુલ્લાએ જમ્મુ અને કાશ્મીર પ્રશાસન પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીની રેલી માટે ભીડને સુનિશ્ચિત કરવા દરેક સંભવિત રીતે પ્રયાસ કરવાનો આરોપ મૂક્યો હતો અને કહ્યું હતું કે ભાજપ પોતાની રીતે આવું કરવામાં ક્યારેય સફળ થશે નહીં.

ઓમર અબ્દુલ્લાએ 6 માર્ચે ટ્વીટ કરીને કહ્યું હતું કે, "આવતીકાલે (આજે) ગોદી મીડિયા અને એજન્સીઓ પીએમ મોદીને સાંભળવા શ્રીનગરમાં એકત્ર થયેલી 'ઐતિહાસિક ભીડ' વિશે વાત કરશે. તેઓ સહેલાઇથી એ ઉલ્લેખ કરવાનું ભૂલી જશે કે ત્યાં લગભગ કોઈ સ્વેચ્છાએ જોડાશે નહીં. નિરંકુશ જમ્મુ અને કાશ્મરી સરકારે વડા પ્રધાનને ભીડ કરવા માટે શક્ય તેટલું બધું કર્યું છે કારણ કે ભાજપ પ્રશાસન વિના જમ્મુ અને કાશ્મીરમાં કંઈપણ સંચાલિત કરી શકતું નથી."
Tomorrow the godi media & agencies will be gushing about the “historic crowd” gathered to hear PM Modi in Srinagar. What they will conveniently forget to mention is that almost none of the people there will be attending of their own free will. The dictatorial J&K Govt has pulled… pic.twitter.com/NawQGPn8Zf
— Omar Abdullah (@OmarAbdullah) March 6, 2024












Click it and Unblock the Notifications
