EVMની સુરક્ષા પર પ્રણવ મુખરજી પણ ચિંતિત, કહ્યું- ભરોસો ન તૂટવા દે ચૂંટણી પંચ
EVMની સુરક્ષા પર પ્રણવ મુખરજી પણ ચિંતિત, કહ્યું- ભરોસો ન તૂટવા દે ચૂંટણી પંચ
લોકસભા ચૂંટણીના પરિણામ પહેલા વિપક્ષ ઈવીએમને લઈ હાહાકાર મચાવી રહ્યા છે. આ દરમિયાન વિપક્ષને એક ભારે અવાજ મળ્યો છે, પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ ઈવીએમન લઈ આવી રહેલ સમાચારો પર ચિંતા વ્યક્ત કરી છે. પ્રણવ મુખરજીએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે ઈવીએમને લઈ આવી રહેલ સમાચાર ચિંતાજનક છે, ઈવીએમની સુરક્ષા કરવી ચૂંટણી પંચની જવાબદારી છે. તેમણે લખ્યું કે ચૂંટણી પંચે જનતાનો ભરોસો ન તૂટવા દેવો જોઈએ.

પ્રણવ મુખરજી ચિંતિત
ટ્વિટર પર એક નિવેદન જાહેર કરતા પ્રણવ મુખરજીએ લખ્યું કે, 'લોકતંત્રમાં લોકોના નિર્ણય પર કોઈ પ્રકારનું સંકટ ન આવવું જોઈએ. લોકોનો ફેસલો હંમેશા સર્વોચ્ચ રહવો જોઈએ. સંસ્થાનોમાં વિશ્વાસ રાખીને હું માનું છું કે જે કાર્ય કરે છે તે જ જવાબદર છે, અત્યારે જે કંઈપણ શંકા સામે આવી રહી છે તેના પર ચૂંટણી પંચે કાર્યવાહી કરવી જોઈએ જેથી આવા પ્રકારની કોઈ શંકાને સ્થાન ન મળે.'
|
ટ્વીટ કર્યું
જણાવી દઈએ કે પ્રણવ મુખરજીનો આ ંદેશ ત્યારે સામે આવ્યો જ્યારે વિપક્ષ એકજુટ થઈ ઈવીએમ પર સવાલ ઉઠાવી રહ્યા છે. અને ચૂંટણી પંચ સમક્ષ તેની સુરક્ષા વધારવાની માંગણી કરી રહ્યા છે. આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબૂ નાયડૂની આગેવાનીમાં કોંગ્રેસ, ટીએમસી, આમ આદમી પાર્ટી, એનસીપી સહિત કેટલીય પાર્ટીઓએ આજે દિલ્હીના કંસ્ટીટ્યૂશનલ ક્લબમાં બેઠક કરી હતી.

પહેલા ચૂંટણી પંચના પવખાણ કર્યાં હતાં
ઉલ્લેખનીય છે કે સોમવારે પ્રણવ મુખરજીનું એક નિવેદન સામે આવ્યું હતું જેમાં તેમણે હાલના ચૂંટણી કમિશ્નરના વખાણ કર્યાં હતાં. પ્રણવ મુખરજીએ સોમવારે મીડિયાને કહ્યું હતું કે, 'જો આપણે સંસ્થાનોને મજબૂત કરવા માંગીએ છીએ તો આપણે ધ્યાનમાં રાખવું જોઈએ કે સંસ્થાન દેશની સારી રીતે સેવા કરી રહ્યાં છે.' એક કાર્યક્રમમાં તેમણે નિવેદન આપ્યું હતું કે જો લોકતંત્ર સફળ સાબિત થઈ રહ્યા છે તો તના માટે ચૂંટણી પંચને જવાબદાર માનવું જોઈએ. સુકુમાર સેનથી લઈ હાલના ચૂંટણી કમિશ્નરોએ આના માટે બહુ કામ કર્યાં છે.
-
સુરત ઈકોનોમિક રિજિયન SERને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1185 કરોડ ફળવાયા -
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ -
IND vs NZ Final: ન્યુઝીલેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11









Click it and Unblock the Notifications
