ધર્મ પરિવર્તનનો ખૂલ્યો ભાવ, ખ્રિસ્તીઓને 5 લાખ, મુસલમાનોને 2 લાખ
લખનઉ, 11 ડિસેમ્બર: સબકા સાથ સબકા વિકાસનો નારો બુલંદ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેન્દ્રની સત્તા પર કાબિજ થઇ છે. પરંતુ ફક્ત છ મહિનાની અંદર ઉત્તર પ્રદેશમાં વડાપ્રધાનના વિકાસના એજંડાથી બીજો ઇતર એક નવો એજંડા શરૂ થઇ ગયો છે, તે છે ધર્માંતરણ. જી હાં ખ્રિસ્તીઓને ધર્મ પરિવર્તન માટે 5 લાખ જ્યારે મુસલમાનોને ધર્મ બદલવા માટે 2 લાખ રૂપિયાનો ખુલ્લો ભાવ નક્કી છે.
ધર્મ જાગરણ મંચનો એક પત્ર સામે આવ્યો છે જેમાં આ સંગઠને એક લાખ ખ્રિસ્તી અને મુસલમાનોની ઘર વાપસીનું લક્ષ્ય રાખ્યું છે. ધર્મ જાગરણ મંચના નેતા રાજેશ્વર સિંહે પોતાના પત્રમાં કહ્યું કે આ વર્ષે 1 લાખ લોકોની ધર વાપસી કરવામાં આવશે.

તમને જણાવી દઇએ કે 25 ડિસેમ્બરના રોજ અલીગઢમાં આયોજિત થનાર કાર્યક્રમમાં પાંચ હજાર ખ્રિસ્તી અને મુસલમાન પરિવાર ધર્મ પરિવર્તન કરશે. આ કાર્યક્રમ વિશે ધર્મ જાગરણ મંચના નેતા રાજેશ્વર સિંહનું કહેવું છે કે આ કાર્યક્રમ ધર્મ પરિવર્તનનો નથી પરંતુ ઘર વાપસી માટે લોકોના સમ્માનનો કાર્યક્રમ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આગરામાં 200 લોકોએ ધર્મ પરિવર્તન કર્યું છે. તો બીજી તરફ આમાંથી કેટલાક લોકોએ આરોપ લગાવ્યો છે કે તેમને બળજબરીપૂર્વક ધર્મ પરિવર્તન કરાવવામાં આવ્યું છે. ત્યારબાદ આ મુદ્દા પર સંસદમાં બંને સદનોમાં જોરદાર હોબાળો થયો. તો બીજી તરફ આ મામલાના આરોપીઓ વિરૂદ્ધ એફઆરઆઇ દાખલ કરી લીધી છે.
-
Petrol Diesel Price: 11 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે? -
પરસેવો પાડવા તૈયાર થઈ જાવ, હવામાન વિભાગની હિટવેવની આગાહી -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી







Click it and Unblock the Notifications
