Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ધર્મ પરિવર્તનનો ખૂલ્યો ભાવ, ખ્રિસ્તીઓને 5 લાખ, મુસલમાનોને 2 લાખ

લખનઉ, 11 ડિસેમ્બર: સબકા સાથ સબકા વિકાસનો નારો બુલંદ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેન્દ્રની સત્તા પર કાબિજ થઇ છે. પરંતુ ફક્ત છ મહિનાની અંદર ઉત્તર પ્રદેશમાં વડાપ્રધાનના વિકાસના એજંડાથી બીજો ઇતર એક નવો એજંડા શરૂ થઇ ગયો છે, તે છે ધર્માંતરણ. જી હાં ખ્રિસ્તીઓને ધર્મ પરિવર્તન માટે 5 લાખ જ્યારે મુસલમાનોને ધર્મ બદલવા માટે 2 લાખ રૂપિયાનો ખુલ્લો ભાવ નક્કી છે.

ધર્મ જાગરણ મંચનો એક પત્ર સામે આવ્યો છે જેમાં આ સંગઠને એક લાખ ખ્રિસ્તી અને મુસલમાનોની ઘર વાપસીનું લક્ષ્ય રાખ્યું છે. ધર્મ જાગરણ મંચના નેતા રાજેશ્વર સિંહે પોતાના પત્રમાં કહ્યું કે આ વર્ષે 1 લાખ લોકોની ધર વાપસી કરવામાં આવશે.

rss

તમને જણાવી દઇએ કે 25 ડિસેમ્બરના રોજ અલીગઢમાં આયોજિત થનાર કાર્યક્રમમાં પાંચ હજાર ખ્રિસ્તી અને મુસલમાન પરિવાર ધર્મ પરિવર્તન કરશે. આ કાર્યક્રમ વિશે ધર્મ જાગરણ મંચના નેતા રાજેશ્વર સિંહનું કહેવું છે કે આ કાર્યક્રમ ધર્મ પરિવર્તનનો નથી પરંતુ ઘર વાપસી માટે લોકોના સમ્માનનો કાર્યક્રમ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આગરામાં 200 લોકોએ ધર્મ પરિવર્તન કર્યું છે. તો બીજી તરફ આમાંથી કેટલાક લોકોએ આરોપ લગાવ્યો છે કે તેમને બળજબરીપૂર્વક ધર્મ પરિવર્તન કરાવવામાં આવ્યું છે. ત્યારબાદ આ મુદ્દા પર સંસદમાં બંને સદનોમાં જોરદાર હોબાળો થયો. તો બીજી તરફ આ મામલાના આરોપીઓ વિરૂદ્ધ એફઆરઆઇ દાખલ કરી લીધી છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X