For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોના વકરતા લદ્દાખમાં 15 દિવસ માટે શાળા બંધ રાખવા આદેશ!

કોરોનાની વર્તમાન સ્થિતિને જોતા કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખે તમામ શાળાઓ અને છાત્રાલયોને તાત્કાલિક અસરથી 15 દિવસ માટે બંધ કરવાનો નિર્ણય કર્યો છે.

By Desk
|
Google Oneindia Gujarati News

કોરોનાની વર્તમાન સ્થિતિને જોતા કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખે તમામ શાળાઓ અને છાત્રાલયોને તાત્કાલિક અસરથી 15 દિવસ માટે બંધ કરવાનો નિર્ણય કર્યો છે. તમામ શાળાઓ અને રહેણાંક છાત્રાલય 18 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી બંધ રહેશે. જો કે, કોરોના પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને ઓનલાઇન વર્ગો ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવી છે.

school

લદ્દાખ વહીવટીતંત્ર દ્વારા આ સંદર્ભમાં જારી કરાયેલા આદેશ અનુસાર, લેહ જિલ્લામાં રહેણાંક છાત્રાલયો સહિત તમામ સરકારી અનેખાનગી શાળાઓ તાત્કાલિક અસરથી 15 દિવસ માટે બંધ રહેશે. આ પછી 02 ઓક્ટોબરે ફરીથી પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવશે. જો કે, કોવિડ એસઓપી સાથે ઓનલાઇન વર્ગો ચાલુ રાખવામાં આવશે.

આ સિવાય જિલ્લાના મુખ્ય તબીબી અધિકારી અને મુખ્ય શિક્ષણાધિકારીને પણ સૂચના આપવામાં આવી છે કે જે વિદ્યાર્થીઓ છાત્રાલય છોડીને પોતાના ઘરે જઈ રહ્યા છે તેમના ફરજિયાત આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવે અને તેને તેમના પરિવાર સાથે 7 દિવસ માટે ક્વોરન્ટાઈન રાખવામાં આવે, ભલે ટેસ્ટનું પરિણામ ગમે તે હોય.

30 ઓગસ્ટના રોજ કારગિલ જિલ્લા વહીવટીતંત્રે 1 સપ્ટેમ્બરથી 6-8 ધોરણના વિદ્યાર્થીઓ માટે શાળાઓ ખોલવાની જાહેરાત કરી હતી. નાગરિકોની માંગ પર શાળાઓ ફરીથી ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આદેશ જારી કરતા ડીએમ સંતોષ સુખદેવે કહ્યું હતું કે જિલ્લામાં કોરોનાની સારી સ્થિતિને જોતા 1 સપ્ટેમ્બરથી તમામ શાળાઓ ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

અત્યાર સુધી લદ્દાખમાં કોરોનાના 20,631 કેસ નોંધાયા છે, જ્યારે અત્યાર સુધીમાં 207 લોકોના મોત થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં રસીના 1,89,844 ડોઝ આપવામાં આવ્યા છે, જ્યારે કારગીલમાં અત્યાર સુધીમાં 1,37,603 રસીના ડોઝ આપવામાં આવ્યા છે.

English summary
Order to close school for 15 days in Korona Vakrata Ladakh!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X