જેટલી જાસૂસીકાંડ: ઘણા બીજેપી નેતાઓની કઢાઇ હતી કોલ ડિટેલ્સ
તપાસ એજન્સીઓએ ડિટેલ્સ કોલ ગ્રાહકોની ઓળખ શરૂ કરી દીધી છે. ગ્રાહકોમાં મોટા બિઝનેસમેન અને રાજનેતાઓનો સમાવેશ થાય છે. તપાસ એજન્સીઓના જણાવ્યા અનુસાર અનુરાગ, નીતિશ, અને અરવિંદે 60 લોકોના કોલ ડિટેલ્સ નિકાળ્યા હતા. આ લોકો પર આરોપ છે કે અરૂણ જેટલી સહિત બીજેપીના ઘણા દિગ્ગજ નેતા નીતિન ગડકરી, વિજય ગોયલ, સુધાંશુ મિત્તલ જેવા નેતાઓની કોલ ડિટેલ્સ કાઢવામાં આવી હતી. સાથે સાથે તેમાં ઘણા કોર્પોરેટ ક્ષેત્રના પૂર્વ આપીએલ કમિશ્નર લલિત મોદીના કોલ ડિટેલ્સ પણ નિકાળવામાં આવ્યા છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર કેટલાંક ક્લાઇંટ્સ અને કોર્પેરેટ વિસ્તારની ઓળખ કરવામાં આવી છે. તેમની પૂછતાછ કરવામાં આવી શકે છે. જાસૂસીનું કામ કરનાર અનુરાગસિંહ જે આ મામલાનો આરોપી છે, તે કોલ ડિટેલ્સ વેચવાનું કામ કરતો હતો. સૂત્રોનું કહેવું છે કે બીજેપીના કેટલાક નેતા પણ ક્લાઇંટ્સ છે. આ મામલો ખુબ જ ગંભીર હોવાના કારણે પોલીસ નામનો ખુલાસો કરતા પહેલા પોતાને સ્પષ્ટ કરી લેવા માગે છે. ફિલહાલ પોલીસ આ અંગેની તપાસ કરી રહી છે.
સૂત્રોનું કહેવું છે કે અરવિંદ ડબાસનો ઉપયોગ માત્ર અરુણ જેટલીની ફોન કોલ ડિટેલ્સ નિકાળવા માટે કરાયો હતો. જોકે એવી સંભાવના વ્યક્ત કરાઇ રહી છે કે આ મામલે અન્ય પોલીસ જવાનોના નામ પણ સામેલ હોઇ શકે છે. તપાસ એજન્સીના જણાવ્યા અનુસાર ઓફિસિયલ સમય અનુસાર આ કોલ ડિટેઇલ્સ નિકાળવામાં આવતી હતી.