Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

BJP નેતાનું વિવાદિત નિવદનઃ સાર્વજનિક સંપત્તિ તોડનારાઓને અમે કૂતરાની જેમ માર્યા છે

સાર્વજનિક સંપત્તિને નુકશાન પહોંચાડનાર લોકો માટે ઘણા રાજ્યોની સરકારોએ કડકાઈ બતાવી પરંતુ આ માટે ભાજપ નેતા અને પશ્ચિમ બંગાળ ભાજપના પ્રદેશ અધ્યક્ષ દિલીપ ઘોષે વિવાદિત નિવેદન આપી દીધુ.

નાગરિકતા સુધારા કાયદા અને એનઆરસી માટે સતત વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. પ્રદર્શનકારીઓ સામે ઘણી જગ્યાએ કડક કાર્યવાહી પણ કરવામાં આવી છે. સાર્વજનિક સંપત્તિને નુકશાન પહોંચાડનાર લોકો માટે ઘણા રાજ્યોની સરકારોએ કડકાઈ બતાવી પરંતુ આ માટે ભાજપ નેતા અને પશ્ચિમ બંગાળ ભાજપના પ્રદેશ અધ્યક્ષ દિલીપ ઘોષે વિવાદિત નિવેદન આપી દીધુ.

dilip ghosh

ભાજપ નેતાએ કહ્યુ કે જે લોકોએ સાર્વજનિક સંપત્તિઓને નુકશાન પહોંચાડ્યુ પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની પોલિસે તેમની સામે કંઈ ન કર્યુ કારણકે એ દદના મતદારો છે જ્યારે અસમ, ઉત્તર પ્રદેશ અને કર્ણાટકમાં અમે તેમને કૂતરાની માર્યા છે.

તેમણે કહ્યુ કે તમે અહીં આવશો, અમારુ જ જમવાનુ જમશો, અહીં જ રહેશો અને અહીં રહીને અમારી સંપત્તિને નુકશાન કરશો. શું આ તેમની જમીનજાગીર છે. તેમણે કહ્યુ કે આવા પ્રદર્શનકારીઓને અમે દંડાથી મારીશુ, ગોળી મારીશુ અને જેલમાં બંધ કરી દઈશુ. ભાજપ નેતાના આ નિવેદન પર વિરોધ શરૂ થઈ ગયો છે. તેમના આ વાંધાજનક નિવેદન માટે પલટવારનોદોર શરૂ થઈ ગયો છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X