BJP નેતાનું વિવાદિત નિવદનઃ સાર્વજનિક સંપત્તિ તોડનારાઓને અમે કૂતરાની જેમ માર્યા છે
સાર્વજનિક સંપત્તિને નુકશાન પહોંચાડનાર લોકો માટે ઘણા રાજ્યોની સરકારોએ કડકાઈ બતાવી પરંતુ આ માટે ભાજપ નેતા અને પશ્ચિમ બંગાળ ભાજપના પ્રદેશ અધ્યક્ષ દિલીપ ઘોષે વિવાદિત નિવેદન આપી દીધુ.
નાગરિકતા સુધારા કાયદા અને એનઆરસી માટે સતત વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. પ્રદર્શનકારીઓ સામે ઘણી જગ્યાએ કડક કાર્યવાહી પણ કરવામાં આવી છે. સાર્વજનિક સંપત્તિને નુકશાન પહોંચાડનાર લોકો માટે ઘણા રાજ્યોની સરકારોએ કડકાઈ બતાવી પરંતુ આ માટે ભાજપ નેતા અને પશ્ચિમ બંગાળ ભાજપના પ્રદેશ અધ્યક્ષ દિલીપ ઘોષે વિવાદિત નિવેદન આપી દીધુ.
ભાજપ નેતાએ કહ્યુ કે જે લોકોએ સાર્વજનિક સંપત્તિઓને નુકશાન પહોંચાડ્યુ પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની પોલિસે તેમની સામે કંઈ ન કર્યુ કારણકે એ દદના મતદારો છે જ્યારે અસમ, ઉત્તર પ્રદેશ અને કર્ણાટકમાં અમે તેમને કૂતરાની માર્યા છે.
Dilip Ghosh, West Bengal BJP President: Didi's (Mamata Banerjee) police didn't take action against the people who destroyed public properties as they are her voters. Our govt in UP, Assam and Karnataka has shot these people like dogs. (12.1.2020) pic.twitter.com/iJegmRHXpx
— ANI (@ANI) 13 January 2020
તેમણે કહ્યુ કે તમે અહીં આવશો, અમારુ જ જમવાનુ જમશો, અહીં જ રહેશો અને અહીં રહીને અમારી સંપત્તિને નુકશાન કરશો. શું આ તેમની જમીનજાગીર છે. તેમણે કહ્યુ કે આવા પ્રદર્શનકારીઓને અમે દંડાથી મારીશુ, ગોળી મારીશુ અને જેલમાં બંધ કરી દઈશુ. ભાજપ નેતાના આ નિવેદન પર વિરોધ શરૂ થઈ ગયો છે. તેમના આ વાંધાજનક નિવેદન માટે પલટવારનોદોર શરૂ થઈ ગયો છે.
Dilip Ghosh,West Bengal BJP President: You will come here, eat our food, stay here and damage public properties. Is it your zamindari? We will bash you with lathis, shoot you, and put you in jail. (12.1.2020) https://t.co/LcFZTrpYPj
— ANI (@ANI) 13 January 2020
આ પણ વાંચોઃ ઈરાનને અમેરિકાની અપીલ, કહ્યું- પ્રદર્શનકારીઓને ના મારો, વાતચીતના દરવાજા ખુલા છે