સાક્ષી મહારાજના ગઢમાંથી મળ્યા 100 જેટલા હાડપિંજર
ઉન્નાવ, 30 જાન્યુઆરી: ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉથી 60 કિમી દૂર પર સ્થિત છે નાનકડું શહેર ઉન્નાવ, જે હાલમાં રહસ્યમયી ખુલાસાઓથી લઇને ચર્ચાઓમાં છે. ભારતીય જનતા પાર્ટીના સાંસદ સાક્ષી મહારાજના ગઢ ઉન્નાવમાં એક નવું ચોંકાવનારો ખુલાસો થયો છે. ઉન્નાવના પોલીસ લાઇન સ્થિત એક ઘરની અંદર 100થી વધારે માનવ હાડપિંજર મળી આવ્યા છે.

આપને જણાવી દઇએ કે હાલમાં જ ઉન્નાવમાં ગંગા નદીથી યુવતીઓના મૃતદેહ તરતા મળી આવ્યા હતા. ગંગા નદીના પરિયાર ઘાટ પર ઘણી લાશો તરતી મળી હતી. એ મૃતદેહોનો મામલો હજી શાંત નથી થઇ શક્યો કે આ હાડપિંજરનો મામલો સામે આવ્યો છે. આ અંગે ગંભીરતા દર્શાવતા કેન્દ્રીય ગૃહંમંત્રાલયે રાજ્ય સરકાર પાસે રિપોર્ટ મંગાવ્યો છે. યૂપીના આઇજીએ પણ એસપી પાસે જાણકારી માગી છે.
Skeletons found inside a locked room in Unnao Police line campus, reason unknown. pic.twitter.com/8FKEly1714
— ANI (@ANI_news) January 29, 2015 જ્યારે સ્થાનીય લોકોનું કહેવું છે કે જે બંધ ઓરડામાંથી હાજપિંજરો મળી આવ્યા છે ત્યાં 2008માં પોસ્ટમોર્ટમ હાઉસ હતું. બાદમાં પોસ્ટમોર્ટમ હાઉસ અત્રેથી નવા જિલ્લા હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યું હતું. જોકે આ ઓરડામાં અવશેષો એવાને એવા જ મૂકી દેવામાં આવ્યા. પોલીસ લાઇનમાં પ્રયોગથી બહાર થઇ ચૂકેલા આ વિસરા રૂમમાં પોસ્ટમોર્ટમ બાદ શરીરના અંગોને સુરક્ષિત રાખવામાં આવતા હતા.












Click it and Unblock the Notifications
