Padma Award 2025 : પ્રજાસત્તાક દિવસની પુર્વ સંધ્યાએ પદ્મ પુરસ્કારોની જાહેરાત, લિસ્ટમાં વિદેશી નામ પણ સામેલ
Padma Award 2025 : 26 જાન્યુઆરી ગણતંત્ર દિવસની પુર્વ સંધ્યાએ કેન્દ્ર સરકારે પદ્મ પુરસ્કારોની જાહેરાત કરી છે. ત્રણ શ્રેણીમાં આપવામાં આવતા પદ્મ પુરસ્કાર ભારતનું ત્રીજુ સૌથી મોટુ સન્માન છે.
પદ્મ પુરસ્કારોને ત્રણ શ્રેણીઓમાં આપવામાં આવે છે તેમાં પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મ શ્રી સામેલ છે. પદ્મ પુરસ્કાર કલા, સામાજિક સેવા, જાહેર બાબતો, વિજ્ઞાન, એન્જિનિયરિંગ, વ્યવસાય, ઉદ્યોગ, દવા, સાહિત્ય, શિક્ષણ, રમતગમત અને નાગરિક સેવા જેવા વિવિધ ક્ષેત્રોમાં મહાન કાર્ય કરનારાઓને આપવામાં આવે છે.

ગૃહ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે, કુવૈતી યોગાભ્યાસી શેખા એ.જે. અલ સબાહ, ઉત્તરાખંડના ટ્રાવેલ બ્લોગર દંપતી હ્યુ અને કોલીન ગેન્ટઝરને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે.
આ સિવાય ભજન ગાયક ભેરુ સિંહ ચૌહાણ, પત્રકાર ભીમ સિંહ ભાવેશ, નવલકથાકાર જગદીશ જોશીલા, સર્વાઇકલ કેન્સર હિમાયતી નીરજા ભટલા અને કુવૈતી યોગ ચિકિત્સક શેખા એજે અલ સબાહ પ પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરાયા છે.
આ સિવાય નાગાલેન્ડના બાગાયતી ખેડૂત એલ હેંગથિંગ, પુડુચેરીના વાદ્યવાદક પી. દત્ચનમૂર્તિ, મધ્યપ્રદેશના સામાજિક ઉદ્યોગસાહસિક સેલી હોલકર, મરાઠી લેખક મારુતિ ભુજંગરાવ ચિતમપલ્લી અને અન્ય લોકો પદ્મ પુરસ્કાર વિજેતાઓની યાદીમાં સામેલ છે.
વિલાસ ડાંગરે, વેંકપ્પા અંબાજી સુગટેકર, હરિમાન શર્મા, જુમડે યોમગમ ગામલિન, નરેન ગુરુંગ અને જગદીશ જોશીલા, બતુલ બેગમ, પંડિત રામ માંડવી, નિર્મલા દેવી એ અન્ય પ્રતિષ્ઠિત હસ્તીઓ છે જેમને દેશના ત્રીજા સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવશે.
- જગદીશ જોશીલા : સાહિત્ય અને શિક્ષણ (નિમાર) મધ્યપ્રદેશ.
- જોનાસ માસેટ્ટી : આધ્યાત્મિકતા, બ્રાઝિલિયન વેદાંત ગુરુ.
- પી. દાત્ચનમૂર્તિ : કલા (સંગીત), થાવિલ, પુડુચેરી.
- નીરજા ભટલા : દવા (સ્ત્રીરોગવિજ્ઞાન), દિલ્હી.
- શેખા એજે અલ સબાહ : દવા (યોગ) કુવૈત.
- હ્યુ અને કોલીન ગેન્ટઝર : સાહિત્ય અને શિક્ષણ, પ્રવાસ, ઉત્તરાખંડ.
- હરિમન શર્મા : કૃષિ, સફરજન, હિમાચલ પ્રદેશ.
- નરેન ગુરુંગ : કલા-ગાયન (લોક-નેપાળી), સિક્કિમ.
- હરવિંદર સિંહ : રમતગમત (વિકલાંગ), તીરંદાજી, હરિયાણા.
- વિલાસ ડાંગરે : દવા, હોમિયોપેથી, મહારાષ્ટ્ર.
- ભેરુ સિંહ ચૌહાણ : કલા (ગાયન) નિર્ગુણ, મધ્યપ્રદેશ.
- જુમદે યોમગમ ગામલીમ : સામાજિક કાર્ય, અરુણાચલ પ્રદેશ.
- એલ હેંગથિંગ : અન્ય (કૃષિ) ફળો, નાગાલેન્ડ.
- વેંકપ્પા અંબાજી સુગટેકર : કલા (સ્વર) ફોલ્ડ, ગોંધલી, કર્ણાટક.
- ભીમ સિંહ ભાવેશ : સામાજિક કાર્ય, દલિત, બિહાર
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત








Click it and Unblock the Notifications
