Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Pahalgam Terror Attack : ભારત-પાકિસ્તાન યુદ્ધ થયુ તો કયા દેશ કોનો સાથ આપશે?

Pahalgam Terror Attack : જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં ભારતના 26 નિર્દોષ નાગરિકોએ જીવ ગુમાવ્યા છે. આ ઘટનાએ આખા દેશમાં અને સરકારમાં ગુસ્સાનો માહોલ ઉભો કર્યો છે.

હુમલાને લઈને કેન્દ્ર સરકારે સ્પષ્ટ કહી દીધું છે કે જે આ હુમલામાં સામેલ છે તેમને કોઈપણ સ્થિતિમાં માફ કરાશે નહીં. ભારત મોટી કાર્યવાહી કરી શકે છે.

ind-pak war

આ ઘટના બાદ ભારત સરકારે પાકિસ્તાન સામે કડક પગલાં લેવા શરૂ કર્યા છે. તેમાં સૌથી મહત્વપૂર્ણ છે પાકિસ્તાન સાથેની સિંધુ જળ સંધિ પર વિચારવાનું અને ત્યાંના નાગરિકોને ભારતમાં પ્રવેશ ન આપવાનો નિર્ણય. પાકિસ્તાન તરફથી પણ આ પગલાંઓના વિરોધમાં ઉશ્કેરણીજનક નિવેદનો આવવા લાગ્યા છે.

આવા સંજોગોમાં મોટો પ્રશ્ન એ ઉદભવે છે કે જો ભવિષ્યમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈ યુદ્ધ જેવી પરિસ્થિતિ ઊભી થાય તો કયા દેશ કોનું સમર્થન કરશે?

જો ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થાય તો એવું મનાય છે કે ભારતને બે ફ્રન્ટ પર લડવું પડી શકે છે, એક તરફ પાકિસ્તાન અને બીજી તરફ કદાચ ચીન. ચીન અને પાકિસ્તાન વચ્ચે છેલ્લા કેટલાક વર્ષોથી ખાસ દોસ્તી છે.

જો કે, ચીન પોતાના હિત જોઈને અંતિમ નિર્ણય લે છે. 1965 અને 1971ની જંગ દરમિયાન પણ ચીને પાકિસ્તાનને સીધું સમર્થન નહોતુ આપ્યુ. તે સમયથી લઈને આજ સુધી ઘણું બદલાયું છે, ભારત હવે એક શક્તિશાળી દેશ બની ચૂક્યું છે.

ભારતના સંબંધો હાલ મોટાભાગના વિશ્વના મોટા દેશો સાથે સારા છે.

  • ભારત અને અમેરિકાના સંબંધો આજે ખૂબ મજબૂત છે. વેપાર, ટેકનોલોજી અને રોકાણના મામલામાં બંને દેશો વચ્ચે સહયોગ છે. પાકિસ્તાન હજુ પણ આતંકવાદને આશરો આપતો જણાય છે ત્યાં અમેરિકા તેમનાં ઉપર વધુ વિશ્વાસ નથી રાખતું.
  • ભારતના જૂના મિત્ર રશિયા પણ યુદ્ધની સ્થિતિમાં ભારતને સમર્થન આપે એવી શક્યતા છે. 1971ના યુદ્ધ દરમિયાન રશિયાએ ભારતને સમર્થન આપ્યું હતું.
  • કારગિલ યુદ્ધમાં ઇઝરાયલે ભારતને ટેકનિકલ સાધનો, ડ્રોન અને નાઈટ વિઝન કેમેરા આપી મદદ કરી હતી. હાલ પણ બંને દેશ વચ્ચે મજબૂત સંબંધો છે.

પાકિસ્તાનને એક માત્ર મોટું ટેકો ચીન તરફથી મળી શકે છે. તેના સિવાય કેટલાક ઈસ્લામિક દેશોના નામ આવે. જો કે તો પણ એવાં સંકેતો નથી કે કોઈ દેશ ભારત સામે યુદ્ધમાં આગળ વધશે. ભારતના મુસ્લિમ દેશો સાથે આજે વેપાર અને રાજકીય સંબંધો છે.

જો ચીન પણ યુદ્ધમાં સામે ન આવે તો પાકિસ્તાન માટે પરિસ્થિતિ ખૂબ મુશ્કેલ બની શકે છે. તે સ્થિતિમાં ભારત બલૂચિસ્તાન અને પીઓકે જેવા વિવાદાસ્પદ વિસ્તારો ઉપર દાવો જમાવી શકે છે.

જણાવી દઈએ કે, પહેલગામમાં થયેલો આતંકી હુમલો એ માત્ર હુમલો નહીં પણ પાકિસ્તાનના ખોટા ઇરાદાઓની ચેતવણી છે. જો આ સ્થિતી આગળ વધે છે અને યુદ્ધ સુધી પહોંચે છે તો ભારતના મિત્ર દેશો તેમનો સાથ નિભાવશે. પાકિસ્તાન માટે એ સ્થિતિ ખૂબ ખતરનાક બની શકે છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X