ભારતને હળવાશથી ના લે પાકિસ્તાનઃ પ્રણવ મુખર્જી

બીજી તરફ દિલ્હી ગેંગરેપ બાદ દેશમાં થયેલી બબાલ અને યુવા શક્તિના રોષ પર પ્રણવ દાએ કહ્યું કે અમારા દેશના યુવા ક્ષુબ્દ છે. તેનો દોષ તેમને આપી શકાય નહીં, જો યુવા કોઇ ઘટનાને લઇને આક્રોષિત થાય છે તો તેના માટે તેઓ નહીં પરંતુ અમારું પ્રશાસન જવાબદાર છે. યુવાઓના ગુસ્સા અને રોષને અનુભવતા રાષ્ટ્રપતિએ આખી સત્તા પ્રતિષ્ઠાનને માત્ર ચેતવણી ના આપી પરંતુ તમામ ઘટનાઓનો હવાલો આપતા પ્રશ્ન ઉભો કર્યો કે જો આજે આપણા યુવાનો ગુસ્સામાં છે તો શું તેના માટે યુવાનોનો દોષ છે.
પોતાના પહેલા સંબોધનમાં પ્રણવ દાએ આર્થિક સુધારાઓના રથ પર સવાર મનમોહન સરકારને નૈતિકતાના પાઠ ભણાવતા વિકાસની નવી દિશા નક્કી કરવાની સલાહ આપી છે. તેમણે સરકારને સલાહ આપતા કહ્યું કે દેશને પોતાની નૈતિક દિશા ફરીથી નિર્ધારિત કરવાનો સમય આવી ગયો છે. લોકોને શાસનમાં વિશ્વાસ થવો જોઇએ. તેમણે જનતાએ ચૂંટેલા પ્રતિનિધિઓને પણ જનતાના વિશ્વાસ પર ખરા ઉતરવાની સલાહ આપી.












Click it and Unblock the Notifications
