ચાર વર્ષના ભારતીય બાળકની કસ્ટડી અંગે પાકિસ્તાનની કડકાઇ
નવી દિલ્હી, 26 ઓગસ્ટ : ભારત પાકિસ્તાનના સંબંધો હંમેશા ખટાશભર્યા રહેલા છે. આ સંબંધોને સુધારવા માટે અનેકવાર પ્રયાસો કરવામાં આવ્યા છે. જો કે સ્થિતિ ટસથી મસ થઇ નથી. સંબંધો સુધરવાને બદલે વણસ્યાં છે. હવે ભારત પાકિસ્તાનના ડખામાં 4 વર્ષની બાળકી ફસાઇ ગઇ છે.
વાસ્તવમાં પાકિસ્તાનમાં જન્મેલી ગેમારિયાહની ઉંમર હાલ 4 વર્ષની છે. તે બિલકુલ અનાથ થઇ ચૂકી છે. આથી ચાર વર્ષની અનાથ બાળકીની ફોઇ શાઝિયા નાઝે દિલ્હી હાઇકોર્ટને અપીલ કરી છે કે બાળકીનો અધિકાર તેને સોંપવામાં આવે. જો કે કોર્ટે કહ્યું છે કે આ કેસનો નિકાલ પાકિસ્તાનની કોર્ટમાં જ કરી શકાય એમ છે.

આપને જણાવી દઇએ કે ગેમારિયાહ જ્યારે બે વર્ષની હતી ત્યારે જ પાકિસ્તાનમાં તેના પિતાનું નિધન થઇ ગયું હતું. પતિના મોત બાદ મા અને દીકરી 13 જૂન, 2012ના રોજ કાશ્મીર આવી ગયા હતા. જ્યાં એક માર્ગ અકસ્માતમાં માતાનું પણ નિધન થયું હતું. ઘાયલ બાળકીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ત્યારથી બાળકી સાજી થયા બાદ ક્યાં ગઇ તેનો વિવાદ ઉભો થયો હતો. ત્યાર બાદ લાહોરમાં રહેનારી તેની ફોઇએ દિલ્હી હાઇકોર્ટમાં તેનો કબજો મેળવવા માટે અરજી કરી હતી.
આ દરમિયાન પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે બાળકી તેના મામા-મામી સાથે કાશ્મીરના અવંતીપુર વિસ્તારમાં રહે છે.
-
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા





Click it and Unblock the Notifications
