For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાકિસ્તાને એલઓસી પર આખી રાત ફાયરિંગ કર્યું, 7 જવાનો ઘાયલ

ભારતીય વાયુસેના ઘ્વારા એર સ્ટ્રાઇક કર્યા પછી પાકિસ્તાન અંદરથી બળી રહ્યું છે. પાકિસ્તાન પોતાનો ગુસ્સો સીઝફાયર તોડીને કાઢી રહ્યું છે.

|
Google Oneindia Gujarati News

ભારતીય વાયુસેના ઘ્વારા એર સ્ટ્રાઇક કર્યા પછી પાકિસ્તાન અંદરથી બળી રહ્યું છે. પાકિસ્તાન પોતાનો ગુસ્સો સીઝફાયર તોડીને કાઢી રહ્યું છે. જમ્મુ કાશ્મીરમાં એલઓસી પર પાકિસ્તાન ઘ્વારા જોરદાર ફાયરિંગ કરવામાં આવી રહી છે. પાકિસ્તાને આખી રાત એલઓસી પર ફાયરિંગ કર્યું અને તેમને ભારતીય સેનાના બંકરો સહીત સ્થાનીય લોકોના ઘરો અને લોકોની વસ્તી ધરાવતા વિસ્તારોને પણ ટાર્ગેટ કર્યા.

indian army

એએનઆઈ અનુસાર અખનૂર સેક્ટરમાં પાકિસ્તાન ઘ્વારા કરવામાં આવેલી ફાયરિંગમાં સેનાના 7 જવાનો ઘાયલ થયા છે. જેમાંથી 5 જવાનોને સામાન્ય ઇજા પહોંચી છે, જયારે 2 ઘાયલ જવાનોને તરત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પાકિસ્તાન ઘ્વારા કરવામાં આવેલી ફાયરિંગને કારણે પુંછમાં ઘણા ઘરોને નુકશાન થયું છે.

આ પણ વાંચો: શું છે એર સ્ટ્રાઈક, જેનાથી ભારતીય એરફોર્સે જૈશના અડ્ડા કર્યા તબાહ

એટલું જ નહીં પરંતુ સીમા પર વધી રહેલા તણાવને ધ્યાનમાં રાખીએ સ્કૂલો પણ બંધ રાખવામાં આવી છે. રાજોરીમાં જિલ્લા પ્રશાશને 27 ફેબ્રુઆરીએ એલઓસી થી 5 કિલોમીટરના અંતરે આવતી બધી જ સ્કૂલો અને પબ્લિક સ્કૂલો બંધ રાખવાનો આદેશ આપ્યો છે. પાકિસ્તાન ઘ્વારા કરવામાં આવી રહેલી ફાયરિંગને ધ્યાનમાં લેતા ડેપ્યુટી કમિશ્નર ઘ્વારા આ આદેશ આપવામાં આવ્યો છે. તેમને કહ્યું કે બુધવારે થવા જઈ રહેલી ધોરણ 5,6 અને 7 ની પરીક્ષાઓ કેન્સલ કરવામાં આવે છે.

આ પણ વાંચો: ચીનમાં સુષ્મા સ્વરાજ, 'વધુ એક હુમલાની તૈયારીમાં હતો જૈશ એટલે એરસ્ટ્રાઈક કરી'

English summary
Pakistan troops were also seen firing mortars and missiles from civilian houses
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X