પાકિસ્તાને પૂંછના શાહપુર અને કિર્ની સેક્ટરમાં યુદ્ધવિરામનો ભંગ કર્યો
પાકિસ્તાને પૂંછના શાહપુર અને કિર્ની સેક્ટરમાં યુદ્ધવિરામનો ભંગ કર્યો
જમ્મુ અને કાશ્મીરઃ લાઇન ઑફ એક્ચ્યુઅલ કંટ્રોલ પર એક તરફ ચીન સાથે ભારતનો તણાવ વધતો જઇ રહ્યો છે. પિપલ્સ લિબરેશન આર્મીએ બોર્ડર પર વધારાના 20 હજાર સૈનિકો ખડકી દીધાના અહેવાલ પણ આવ્યા હતા ત્યારે બંને દેશો વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાણી છે. ભારતીય સેનાને પણ કોઇપણ પરિસ્થિતિ માટે તૈયાર રહેવા આદેશ આપી દેવામા આવ્યા છે. તેવામાં હવે પાકિસ્તાન પણ અવળચડાઇ પર ઉતરી આવ્યું છે.

ભારત અને ચીન વચ્ચેના તણાવ વચ્ચે પાકિસ્તાને યુદ્ધ વિરામનો ભંગ કર્યો છે. મળતી માહિતી મુજબ પાકિસ્તાને પૂંછના શાહપુર અને કિર્ની સેક્ટરમાં ફાયરિંગ કર્યું છે. જો કે નાના હથયારોથી ફાયરિંગ થયું હોવાના અહેવાલ મળ્યા છે. હજી સુધી કોઇપણ પ્રકારની જાનહાનીના અહેવાલ મળ્યા નથી. વધુ માહિતી માટે બન્યા રહો વન ઇન્ડિયા ગુજરાતી સાથે.












Click it and Unblock the Notifications
