પાકિસ્તાન શ્રીનગર-શાહજહા ફ્લાઈટ માટે એરસ્પેસ નહીં ખોલે
તાજેતરમાં જ સરકાર અને દુબઈ વચ્ચે કાશ્મીરના વિકાસ માટે એક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ અંતર્ગત શ્રીનગરથી શારજહાની ફ્લાઈટ પણ શરૂ કરવામાં આવી હતી.
નવી દિલ્હી : તાજેતરમાં જ સરકાર અને દુબઈ વચ્ચે કાશ્મીરના વિકાસ માટે એક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ અંતર્ગત શ્રીનગરથી શારજહાની ફ્લાઈટ પણ શરૂ કરવામાં આવી હતી. લગભગ 11 વર્ષ બાદ શરૂ થયેલી આ સેવાથી ઘાટીના લોકોને ઘણો ફાયદો થયો હોત, પરંતુ પાકિસ્તાને તેમાં અવરોધો મૂકીને તેના એરસ્પેસનો ઉપયોગ કરવાની મંજૂરી આપવાનો ઇન્કાર કર્યો હતો. આ નિર્ણયને કારણે ફ્લાઈટનો સમય તો વધશે જ પરંતુ મુસાફરોને વધુ ભાડું પણ ચૂકવવું પડશે.
વાસ્તવમાં શ્રીનગરના ઘણા લોકો યુએઈમાં રહે છે. જેને ધ્યાનમાં રાખીને, 23 ઓક્ટોબરના રોજ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે શ્રીનગરના શેખ ઉલ-આલમ ઇન્ટરનેશનલ એરપોર્ટથી શારજાહની ઉદ્ઘાટન ફ્લાઇટને લીલી ઝંડી આપી હતી, પરંતુ હવે પાકિસ્તાને સ્પષ્ટ કર્યું છે કે, તે એરલાઇનને તેની એરસ્પેસનો ઉપયોગ કરવાની મંજૂરી આપશે નહીં. તેનાથી ફ્લાઇટના પ્રવાસ સમયમાં એક કલાક વધુ થશે. તેમજ ઉદયપુર, અમદાવાદ અને ઓમાનથી ઉડાન ભરવાની રહેશે. જેના કારણે ખર્ચ પણ વધુ થશે.
બીજી તરફ જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ ટ્વીટ કર્યું હતું કે, પાકિસ્તાને 2009-2010માં શ્રીનગરથી દુબઈ જતી એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટ સાથે પણ આવું જ કર્યું હતું. મને અપેક્ષા હતી કે, ગો ફર્સ્ટને પાક એરસ્પેસ પર ઉડવાની મંજૂરી આપવામાં આવશે. આ સાથે સંબંધો સારા હોત, પરંતુ અફસોસ, એવું કંઈ થયું નહીં. જો કે, અબ્દુલ્લાએ ફ્લાઇટના દિવસે જ સવાલ પૂછ્યો હતો કે પાકિસ્તાન તરફથી પરવાનગી મળી છે કે નહીં.