આતંકી અહેસાનુલ્લાહની મોદીને ધમકી, લઇને રહેશે ગુજરાતનો બદલો!
નવી દિલ્હી, 5 નવેમ્બર: વાઘા બોર્ડર પર લોહિયાળ હોળી રમનારા આતંકવાદી એહસાનુલ્લાહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ધમકી આપતા જણાવ્યું છે કે તે કાશ્મીર અને ગુજરાતનો બદલો લઇને રહેશે. વાઘા બોર્ડર પર આતંકી હુમલાની જવાબદારી લેનારા આતંકવાદી સંગઠન તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન જામત અહરારના પ્રવક્તા એહસાનુલ્લાહે ટ્વિટ કરતા ધમકી આપી છે કે ગુજરાત અને કાશ્મીરમાં હિંસા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે બદલો લેવામાં આવશે.

નોંધનીય છે કે વાઘા બોર્ડર પર થયેલા હુમલામાં પાકિસ્તાનના 60થી વધારે લોકોના મોત થઇ ગયા હતા અને લગભગ 200 લોકોના ઘાયલ થવાના સમાચાર હતા. પાકિસ્તાનમાં લોહીયાળ હોળી રમ્યા બાદ હવે અહેસાનુલ્લાહે ભારતમાં પણ હુમલો કરવાની ધમકી આપી છે.













Click it and Unblock the Notifications
