પાકનું ફરીથી સીમા પર ફાયરિંગ, 2 મહિલા સહિત 6 ના મોત, 8 ઘાયલ
પાકિસ્તાને મંગળવારે નૌશેરા, સાંબા અને આરએસપુરા સેક્ટરના અરણિયામાં સીઝફાયર ઉલ્લંઘન કર્યુ. આમાં 2 મહિલા સહિત 6 ના મોત થયા છે જ્યારે અન્ય 8 લોકો ઘાયલ થયા છે...
જમ્મૂ કાશ્મીરમાં પાકિસ્તાન તરફથી સતત ફાયરિંગ થઇ રહ્યુ છે. પાકિસ્તાને મંગળવારે નૌશેરા, સાંબા અને આરએસપુરા સેક્ટરના અરણિયામાં સીઝફાયર ઉલ્લંઘન કર્યુ. આ ફાયરિંગમાં અત્યાર સુધીમાં 6 નાગરિકોના મોત થઇ ચૂક્યા છે જ્યારે 8 લોકો ઘાયલ થયા છે. મૃતકોમાં 2 મહિલા પણ શામિલ છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

પાકિસ્તાન તરફથી સતત ફાયરિંગ ચાલુ છે, આજે સવારે પણ તેમના તરફથી રામગઢના સાંબા સેક્ટરમાં ભારે ગોળીબાર કરવામાં આવ્યો. આ ફાયરિંગ અને ગોળીબારમાં એક યુવતીનું મોત થઇ ગયુ જ્યારે અન્ય 4 લોકો ઘાયલ થઇ ગયાના સમાચાર છે.
તમને જણાવી દઇએ કે આજે સવારે 6.30 વાગે સીમા પર પાકિસ્તાન તરફથી ફાયરિંગ થઇ રહી છે જેનો જડબાતોડ જવાબ બીએસએફ જવાનો તરફથી આપવામાં આવી રહ્યો છે. આ સ્થિતિ રામગઢની છે જ્યારે કલાલના નૌશેરા સેક્ટરમાં સવારે 5.30 વાગ્યા બાદ સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યુ અને સીમા પારથી સતત ગોળીઓ વરસાવવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય કે છેલ્લા ઘણા દિવસોથી પાકિસ્તાન તરફથી સીમા પર ગોળીબાર અને ફાયરિંગ ચાલુ છે જેનો જડબાતોડ જવાબ ભારતના જવાન આપી રહ્યા છે. આ ફાયરિંગમાં પાકિસ્તાનને પણ ઘણુ નુકશાન થયુ છે તેમ છતા તે પોતાની હરકતો છોડતુ નથી. આ જવાબી કાર્યવાહીમાં ભારતના ઘણા સપૂતો શહીદ થઇ ગયા જેના પરિવારો હવે પીએમ મોદી પાસે જવાબ માંગી રહ્યા છે.
-
ઇરાન યુદ્ધના ભણકારા ભારતમાં, પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં 2.09 રૂપિયાનો વધારો -
શરૂ થતા પહેલા જ બંધ થશે IPL? કોર્ટે સંભળાવ્યો મહત્વનો નિર્ણય, BCCIની ઉડી ગઈ ઊંઘ -
LPG Crisis: શું તમને પણ નથી મળી રહ્યો સિલિન્ડર? સરકારે એલપીજી સંકટને લઈને આપ્યું મોટું અપડેટ -
Petrol Diesel Price: 19 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gujarat UCC: મુસ્લિમ મહિલાઓને હલાલામાંથી આઝાદી, બીજા લગ્ન પર 7 વર્ષની જેલ! જાણો 5 મોટા નિર્ણયો -
PNG Connection: ગેસ સંકટ વચ્ચે સૌથી મોટા સમાચાર! માત્ર 24 કલાકમાં દૂર થશે અછત, સરકારે ઉઠાવ્યું આ પગલું -
ગુજરાતમાં હજુ વરસાદથી રાહત નહીં, વરસાદને લઈને મોટી આગાહી -
શાહરૂખ-સલમાનને પછાડી બોક્સ ઓફિસ પર 'ધુરંધર' બન્યો રણવીર સિંહ, ટોપ 5માં સામેલ છે આ ફિલ્મો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 17 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
અશાંત ધારામાં મોટા ફેરફાર: વિધાનસભામાં રજૂ થશે નવું સુધારા વિધેયક -
સુરતમાં ગેસની અછત વચ્ચે શ્રમિકો માટે મેગા કિચન શરૂ કરવામાં આવ્યુ -
ટુના-ટેકરા પોર્ટના વિકાસ માટે કેન્દ્રની મોટી જાહેરાત, 472 કરોડના ખર્ચે બનશે નવો બ્રિજ










Click it and Unblock the Notifications
