લદ્દાખમાં પેંગોંગ ઝીલ પાસે વધુ 2 સ્થળ ભારત સરકારે પર્યટકો માટે ખોલ્યા
ભારત સરકારે લદ્દાખની મુલાકાત લેતા પ્રવાસીઓ માટે બીજા ઘણા વિસ્તારો ખોલી દીધા છે. ગૃહ મંત્રાલયે પ્રવાસીઓ માટે બે પ્રતિબંધિત વિસ્તારો ખોલ્યા છે. હવે પ્રવાસીઓ અહીં મુલાકાત લઈ શકશે. લદ્દાખમાં નોર્થ પેંગોંગ તળાવ પાસે ઉત્તરી વ્યૂહાત્મક ચેંગ ચેનમો સેક્ટરના બે વિસ્તારો, પ્રવાસીઓ માટે ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
છેલ્લા કેટલાક વર્ષોથી ચીન સાથે સાત સીમા વિવાદ હોવા છતાં, ગૃહ મંત્રાલયે આ પ્રતિબંધિત સ્થળોને પ્રવાસીઓ માટે ખોલવાનો નિર્ણય કર્યો છે. ગૃહ મંત્રાલય દ્વારા 14 સપ્ટેમ્બરે જાહેર કરાયેલા પરિપત્ર મુજબ વિદેશી પ્રવાસીઓ હેનલેમાં એક રાત રોકાઈ શકે છે.

હેનલે લેહના પૂર્વમાં લગભગ 254 કિલોમીટર દૂર આવેલું છે, અહીં રાત્રે આકાશમાં તારાઓનું ઝુંડ ખૂબ જ સુંદર લાગે છે. પરંતુ હવે પ્રવાસીઓ તેમના ફોર વ્હીલર અથવા મોટરસાયકલ પર લેહથી લગભગ 184 કિલોમીટર દૂર માર્સેમિક લા પાસ સુધી જઈ શકે છે, જે 18314 ફૂટની ઊંચાઈએ છે.
તમને જણાવી દઈએ કે ચીનને અડીને આવેલા LACના વિવાદિત વિસ્તારો સુધી પહોંચવા માટે આ વ્યૂહાત્મક વિસ્તારનુ પ્રવેશદ્વાર છે. LAC અહીંથી લગભગ 5 કિલોમીટર દૂર છે.
માર્સેમિક લા પાસ લીલાછમ ગોચર, સુંદર તળાવથી ઘેરાયેલો છે. તે ખૂબ જ સુંદર છે. સરકારના નિર્ણય બાદ અહીં પ્રવાસીઓનો ધસારો વધશે. આ વિસ્તારને પ્રવાસીઓ માટે ખોલવાને ભારત સરકારનો વ્યૂહાત્મક નિર્ણય માનવામાં આવી રહ્યો છે. તેનાથી આ ક્ષેત્ર પર ભારતની પકડ વધુ મજબૂત થશે.
એવું માનવામાં આવે છે કે આગામી ક્રમમાં Tsogtsal પણ પ્રવાસીઓ માટે ખોલવામાં આવી શકે છે. તમને જણાવી દઈએ કે માર્સેમિક લામાં રિમ્ડી ચુ અને ઝાંગ ચેનમ નદીઓનો સંગમ થાય છે અને અહીં એક ગોચર છે. અહીં 21 ઓક્ટોબર 1959ના રોજ શહીદ થયેલા 10 CRPF જવાનોનું સ્મારક પણ છે.












Click it and Unblock the Notifications
