Parliament: દલાલોની ચુંગાલમાંથી બચાવશે અધિવક્તા સંશોધન બિલ, જાણો શું થશે ફાયદો?
Parliament: અદાલત પરિસરોમાં હવે દલાલોની ભૂમિકાનો અંત આવશે. લોકસભામાં અધિવક્તા સંશોધન બિલ 2023 (Advocacy Amendment Bill 2023)ને મંજૂરી આપવામાં આવી છે. રાજ્યસભામાં આ બિલ ગત મોન્સુન સત્રમાં પસાર કરવામાં આવ્યું હતું.
કેન્દ્રીય કાનુન મંત્રી અર્જૂન રામ મેઘવાળે જણાવ્યું હતું કે, દેશની અદાલતોમાં એવા વ્યક્તિઓની કોઇ ભૂમિકા હોવી જોઇએ નહીં. શિયાળુ સત્રમાં સંસદના નીચલા ગૃહ દ્વારા પસાર કરવામાં આવેલું આ પહેલું બિલ છે.

સોમવારથી શરૂ થયેલા શિયાળુ સત્રમાં સંસદના નીચલા ગૃહ દ્વારા પસાર કરવામાં આવેલું આ પહેલું બિલ છે. લોકસભાએ વિસ્તૃત ચર્ચા અને કાયદા મંત્રી અર્જૂન રામ મેઘવાળના જવાબ બાદ ધ્વનિ મત દ્વારા બિલને મંજૂરી આપી હતી. બિલમાં એવી જોગવાઈ છે કે, દરેક હાઈકોર્ટ અને ડિસ્ટ્રિક્ટ જજ દલાલોની યાદી બનાવીને પ્રસિદ્ધ કરી શકે છે, જેથી લોકો સતર્ક રહે.
લોકસભામાં બિલ પરની ચર્ચાના જવાબમાં મેઘવાળે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકારે નિર્ણય લીધો છે કે, જે સંસ્થાનવાદી કાયદાઓ નકામા બની ગયા છે, તેને રદ કરવામાં આવશે.
મેઘવાળે જણાવ્યું હતું કે, વર્તમાન સરકાર હેઠળ 1486 સંસ્થાનવાદી કાયદાઓ નાબૂદ કરવામાં આવ્યા છે, જ્યારે યુપીએ સરકારના 10 વર્ષના કાર્યકાળ દરમિયાન આવો એક પણ કાયદો નાબૂદ કરવામાં આવ્યો નથી.
લોકસભામાં બિલ પર ચર્ચાની શરૂઆત કરતા કોંગ્રેસના સાંસદ કાર્તિ ચિદમ્બરમે જણાવ્યું હતું કે, નાની અદાલતોમાં નાના સમયના દલાલો સામે પહેલ કરવાની સાથે કેન્દ્રએ મોટી માછલીઓને પકડવાની પણ જોગવાઈ કરવી જોઈએ.
દલાલોથી મુક્તિ મળશે - મેઘવાળે જણાવ્યું હતું કે, કોંગ્રેસ આ બિલના સમર્થનમાં છે, પરંતુ જટિલ કાયદાકીય પ્રક્રિયા અને સામાજિક અસમાનતાને કારણે વચેટિયાઓ જન્મે છે. ચર્ચામાં ભાગ લેતા ભાજપ સાંસદ જગદંબિકા પાલે જણાવ્યું હતું કે, ગામડાંમાંથી મોટાભાગના અભણ અને અશિક્ષિત લોકો કોર્ટમાં દલાલોની પકડમાં આવે છે.
મેઘવાળે જણાવ્યું હતું કે, જ્યારે વડાપ્રધાને સ્વચ્છતા અભિયાન શરૂ કર્યું છે, ત્યારે ન્યાયતંત્રમાં પણ આવી સ્વચ્છતા જાળવવાની જરૂર છે.
તેમણે આ બિલને કોર્ટ પરિસરમાં ટાઉટની ઓળખ કરવા અને તેમની સામે કાર્યવાહી કરવાની દિશામાં એક ઐતિહાસિક પગલું ગણાવ્યું હતું.
ભાજપના પીપી ચૌધરીએ જણાવ્યું હતું કે, ન્યાયતંત્રમાં દલાલોની હાજરીનું નુકસાન સમાજના છેવાડાના લોકોને સહન કરવું પડે છે. એનસીપીના સભ્ય સુપ્રિયા સુલેએ સરકારને બિલ પાછું ખેંચવાની, સમીક્ષા માટે સ્ટેન્ડિંગ કમિટીને મોકલવાની અને વિસ્તૃત બિલ રજૂ કરવાની માંગ કરી હતી.
-
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત









Click it and Unblock the Notifications
