Parliament Special Session : 18 થી 22 સપ્ટેમ્બર સુધી યોજાશે સંસદનું વિશેષ સત્ર
Parliament Special Session: સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશીએ જાહેરાત કર્યું હતું કે, 18 થી 22 સપ્ટેમ્બર સુધી સંસદનું વિશેષ સત્ર યોજવામાં આવશે. આ દરમિયાન કુલ પાંચ બેઠક યોજાશે.
સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું હતું કે, સંસદના વિશેષ સત્ર દરમિયાન સાર્થક ચર્ચાની આશા રાખવામાં આવી રહી છે.

સત્રમાં કુલ પાંચ બેઠકો થશે - સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ ટ્વિટ કર્યું કે, સંસદનું વિશેષ સત્ર (17મી લોકસભાનું 13મું સત્ર અને રાજ્યસભાનું 261મું સત્ર) 18થી 22 સપ્ટેમ્બર દરમિયાન બોલાવવામાં આવી રહ્યું છે. આ સત્રમાં કુલ પાંચ બેઠકો યોજાશે. અમૃત કાળમાં બોલાવવામાં આવેલા આ સત્ર દરમિયાન અર્થપૂર્ણ ચર્ચાની અપેક્ષા છે.
11 ઓગસ્ટના રોજ સમાપ્ત થયું હતું સંસદનું ચોમાસુ સત્ર - ઉલ્લેખનીય છે કે. સંસદનું ચોમાસુ સત્ર 11 ઓગસ્ટના રોજ સમાપ્ત થયું હતું. સમગ્ર ચોમાસુ સત્ર દરમિયાન વિપક્ષે મણિપુર મુદ્દે સંસદના ગૃહોમાં હોબાળો મચાવ્યો હતો. તેથી સંસદના કામકાજમાં અનેક અવરોધો હતા.
વાસ્તવમાં વિપક્ષના નેતા મણિપુરના મુદ્દા પર ચર્ચા ઇચ્છતા હતા, પરંતુ વિપક્ષ જે નિયમોને ટાંકી રહ્યો હતો, તે નિયમો હેઠળ સરકાર ચર્ચા માટે તૈયાર ન હતી. વિપક્ષ વારંવાર મણિપુરના મુદ્દે વડાપ્રધાન પાસે જવાબ માંગી રહ્યો હતો.
વિપક્ષે ચોમાસુ સત્ર દરમિયાન સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ પણ લાવ્યો હતો. બે દિવસ સુધી ચાલેલી ચર્ચા દરમિયાન, જ્યાં વિપક્ષ તરફથી મણિપુરના મુદ્દા પર સરકાર પર ઘણા આક્ષેપો કરવામાં આવ્યા હતા, ત્યારે ગૃહ પ્રધાન અમિત શાહે સરકાર વતી વિગતવાર જવાબ આપ્યો હતો. આ સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા.












Click it and Unblock the Notifications
