ગોવામાં નરેન્દ્ર મોદીની રેલી માટે ચૂકવવા પડશે 5 રૂપિયા
પણજી, 26 ડિસેમ્બર: 12 જાન્યુઆરીના રોજ યોજાનારી ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની સાર્વજનિક બેઠકમાં તેમની એક ઝલક મેળવવા માટે દરેક વ્યક્તિએ 5 રૂપિયા ચૂકવવા પડશે. ભારતીય જનતા પાર્ટીના સૂત્રોએ જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદીની ગત સાર્વજનિક બેઠકની જેમ પ્રવેશ ટિકીટની આવક ઉત્તરાખંડ રાહત કોષમાં દાન આપવામાં આવશે.
ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર થયા બાદ રાષ્ટ્રવ્યાપી પ્રવાસ શરૂ કરી દિધો છે. નરેન્દ્ર મોદી ખાસ સમર્થક ગણવામાં આવતાં મુખ્યમંત્રી મનોહર પરિકરે કહ્યું હતું કે અમે રેલીમાં ઓછામાં ઓછા 1.5 લાખ લોકો ભીડ એકઠી થાય એવી આશા ધરાવીએ છે. એક ભાજપના અધિકારીએ જણાવ્યું હતું કે ટિકીટો છપાઇ ગઇ છે વેચાણની પ્રક્રિયા જાન્યુઆરીમાં શરૂ થશે.
ભાજપે નરેન્દ્ર મોદીની રેલી માટે જનતા પર સૌથી પહેલાં થોડા મહિના પહેલાં હૈદ્વાબાદમાં યોજાયેલી સાર્વજનિક બેઠકામાં ટિકીટ રાખી છે. આ રેલીમાં એક લાખથી વધુ લોકો હાજર રહ્યાં હતા.