ચોકીદાર ચોર જ નહીં પરંતુ, ખૂની અને બળાત્કારી પણ: પીડીપી MLA
મેહબૂબા મુફ્તીનું નેતૃત્વ ધરાવતી જમ્મુ કાશ્મીરની રાજનૈતિક પાર્ટી પીડીપી એમએલએ ફિરદોષ ટાંક ઘ્વારા જણાવવામાં આવ્યું કે દેશનો ચોકીદાર ચોર જ નહીં પરંતુ ફ્રોડ અને બળાત્કારી પણ છે.
મેહબૂબા મુફ્તીનું નેતૃત્વ ધરાવતી જમ્મુ કાશ્મીરની રાજનૈતિક પાર્ટી પીડીપી એમએલએ ફિરદોષ ટાંક ઘ્વારા જણાવવામાં આવ્યું કે દેશનો ચોકીદાર ચોર જ નહીં પરંતુ ફ્રોડ અને બળાત્કારી પણ છે. પીડીપી નેતાએ રવિવારે કહ્યું હતું કે, ચોકીદાર ચોર છે કારણકે ઘણા લોકો દેશને લૂંટીને ચાલ્યા ગયા. ચોકીદાર ફ્રોડ પણ છે અહીં હું રાફેલની વાત કરી રહ્યો છું. ચોકીદાર ખૂની છે અહીં હું અખલાકની વાત કરી રહ્યો છું અને ચોકીદાર રેપિસ્ટ પણ છે અહીં હું આસીફાની વાત કરી રહ્યો છું. આપને જણાવી દઈએ કે ભાજપ અને પીડીપી સાથે મળીને જમ્મુ કાશ્મીરમાં સરકાર ચલાવી ચુકી છે પરંતુ અંતે બંનેના સંબધો બગડી ગયા. ભાજપનું સમર્થન પાછુ ખેંચી લીધા પછી અહીં રાષ્ટ્રપતિ શાશન છે.
પીડીપી એમએલએ ફિરદોષ ટાંક ઘ્વારા પીએમ મોદીને નિશાનો બનાવતા આ વાતો કહેવામાં આવી. પીએમ મોદીએ વર્ષ 2014 પ્રચાર દરમિયાન પોતાને ચોકીદાર ગણાવ્યા હતા. થોડા સમય પહેલા વિપક્ષે પીએમ મોદી પર રાફેલ મામલે ઘોટાળાનો આરોપ લગાવ્યો હતો અને "ચોકીદાર ચોર હૈ" નારો આપ્યો હતો. કોંગ્રેસની અધ્યક્ષતા ધરાવતી બેઠકોમાં ચોકીદાર ચોર હૈ નારા લાગતા રહે છે. હાલમાં જ કોંગ્રેસના આ અભિયાનનો જવાબ આપતા ભાજપે "મેં ભી ચોકીદાર" કેમ્પેઇન શરુ કર્યું છે. આ કેમ્પેઇન હેઠળ પીએમ મોદી, રાજનાથ સિંહ, સુષ્મા સ્વરાજ અને અમિત શાહ સહીત મોટા ભાગના નેતાઓએ ટ્વિટર પર પોતાના નામની આગળ ચોકીદાર શબ્દ એડ કર્યો છે.
Firdous Tak,PDP in Jammu y'day: Chowkidar chorr hai kyunki kitne log loot kar chale gaye iss desh ko.Chowkidar fraud bhi hai, mein Rafale deal ki baat kar raha hun,Chowkidar kaatil bhi hai, mein Akhlaq ki baat kar raha hun, Chowkidar rapist bhi hai,mein Asifa ki baat kar raha hun pic.twitter.com/54tyfCKqTP
— ANI (@ANI) March 25, 2019
17 માર્ચે પીએમ મોદી સહીત ઘણા મોટા ભાજપા નેતાઓએ ટ્વિટર પર પોતાના નામની આગળ "ચોકીદાર" શબ્દ જોડ્યો હતો. ચોકીદાર શબ્દ પોતાના નામની આગળ જોડતા એક દિવસ પહેલા પીએમ મોદીએ ટવિટ કર્યું હતું કે, તમારો ચોકીદાર રાષ્ટ્રની સેવા કરી રહ્યો છે, પરંતુ હું એકલો નથી. ભ્રષ્ટાચાર, ગંદકી, સામાજિક બુરાઈઓથી લડનાર દરેક વ્યક્તિ ચોકીદાર છે. ભારતની પ્રગતિ માટે મહેનત કરનાર દરેક વ્યક્તિ ચોકીદાર છે. આજે દરેક ભારતીય કહી રહ્યો છે કે, "મેં ભી ચોકીદાર".
આ પણ વાંચો: રાહુલ ગાંધીની ઘોષણા, કોંગ્રેસ દરેક ગરીબ પરિવારને વર્ષે 72000 રૂપિયા આપશે