રાહુલ ગાંધીની ઘોષણા, કોંગ્રેસ દરેક ગરીબ પરિવારને વર્ષે 72000 રૂપિયા આપશે
કોંગ્રેસ દરેક ગરીબ પરિવારને વર્ષે 72000 રૂપિયા આપશેઃ રાહુલ
નવી દિલ્હીઃ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સોમવારે ન્યૂનતમ આવક ગેરન્ટી યોજનાને લઈ મોટી ઘોષણા કરી છે. લોકસભા ચૂંટણી પહેલા રાહુલ ગાંધીએ એલાન કર્યું કે કોંગ્રેસ સત્તામાં આવે છે તો દેશના 20 ટકા સૌથી ગરીબ પરિવારોને 72 હજાર રૂપિયા વાર્ષિક આપશે. આ પૈસા સીધા પરિવારના ખાતામાં ચાલ્યા જશે. તેમણે જણાવ્યું કે દરેક પરિવારની આવક ઓછામાં ઓછી 12 હજાર રૂપિયા પ્રતિ મહિના સુનિશ્ચિત કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે દરેક પરિવારની આવક ઓછામાં ઓછી 12 હજાર રૂપિયા પ્રતિ માસ સુનિશ્ચિત કરવામાં આવશે. કોઈપણ પરિવારની આવક 12 હજારથી ઓછી થાય છે તો સરકાર બાકીના રૂપિયા આપી 12 હજાર રૂપિયા પ્રતિ માસની આવક સુનિશ્ચિત કરશે. એટલે કે જો તમે 7 હજાર રૂપિયા મહિને કમાતા હશો તો આ સ્કીમ અંતર્ગત તમને દર મહિને 5 હજાર રૂપિયા મળશે.

રાહુલ ગાંધીએ જણાવ્યું કે ન્યૂનતમ ગેરેન્ટી યોજના અંતર્ગત 5 કરોડ પરિવાર અને 25 કરોડ લોકોને સીધો જ લાભ થશે. રાહુલ ગાંધએ કહ્યું કે લોકો મને પૂછે છે કે મિનિમમ આવકની લાઈન શું હશે તો હું જણાવી દઉં કે લાઈન જે હોય તે 12000 રૂપિયા પ્રતિ માસ હશે. પ્રેસ કોન્ફ્રેન્સમાં રાહુલ ગાંધીએ કહ્યું કે તેઓ દેશની ગરીબીને ખતમ કરવા માંગે છે અને આના માટે તેઓ આ સ્કીમ લઈને આવ્યા છે.
આ પણ વાંચો- મુલાયમ-અખિલેશની આવક કરતા વધારે સંપત્તિ મામલે CBI ને નોટિસ
-
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ










Click it and Unblock the Notifications
