મહારાષ્ટ્રમાં પિકનિક મનાવવા ગયેલા લોકોની બસ ખીણમાં પડતા 33 ના મોત

મહારાષ્ટ્રના પોલાદપુરમાં એક ભયંકર દુર્ઘટના ઘટી છે. અહીં એક પ્રવાસી બસ ખીણમાં પડી જવાના સમાચાર છે. હાલમાં મળી રહેલા સમાચારો મુજબ આ દુર્ઘટનામાં 33 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે.

મહારાષ્ટ્રના પોલાદપુરમાં એક ભયંકર દુર્ઘટના ઘટી છે. અહીં એક પ્રવાસી બસ ખીણમાં પડી જવાના સમાચાર છે. બસમાં તે સમયે 40 લોકો હતા. હાલમાં મળી રહેલા સમાચારો મુજબ આ દુર્ઘટનામાં 33 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે. રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. આ બસમાં એક સંસ્થાના કર્મચારી પિકનિક માટે જઈ રહ્યા હતા.

maharashtra accident

કોંકણના પશ્ચિમ મહારાષ્ટ્રને જોડતા પોલાદપુર પાસે આંબેનલી ઘાટ પર એક પ્રાઈવેટ બસ 200 ફૂટ નીચે ખીણમાં પડી ગઈ. દુર્ઘટનાગ્રસ્ત બસમાં કોંકણ કૃષિ વિદ્યાપીઠના 38 કર્મચારીઓ અને 2 વાહનચાલક એમ કુલ મળીને 44 લોકો હાજર હતા. આ ઘટનામાં 33 લોકોના મોતના સમાચાર મળી રહ્યા છે. મહિનાના ચોથી શનિવાર અને રવિવારે રજા હોવાના કારણે બધા કર્મચારીઓ મહાબળેશ્વર પિકનિક માટે નીકળ્યા હતા. આ દરમિયાન વિદ્યાપીઠના કર્મચારીઓને લઈને બસ જઈ રહી હતી. ત્યારે જ અચાનક રાયગઢમાં પોલાદપુર ઘાટ પર બસ ખીણમાં પડી ગઈ.

ઘટનાની જાણકારી મળતા સ્થાનિક પોલિસ અને મહાબળેશ્વર ટ્રેકર્સ ગ્રુપના કર્મચારીઓ બચાવ કાર્ય માટે ઘટના સ્થળે પહોંચી ગયા છે. સ્થાનિક પોલિસ અને નાગરિકો દ્વારા બચાવ કાર્ય ચાલુ છે. આ ભીષણ દુર્ઘટના કેવી રીતે બની, કેટલા લોકો આ દુર્ઘટનાનો શિકાર બન્યા તેની હજુ સુધી જાણકારી મળી શકી નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X